પુનર્જન્મ – માર્જોરી પાઈઝર

હું બહાર આવી રહી છું

શોકના દરિયામાંથી,

અનેક મૃત્યુની દિલગીરીમાંથી,

કરુણતાની અપરિહાર્યતામાંથી,

ગુમાવેલા પ્રેમમાંથી,

વિનાશના ભયાનક વિજયમાંથી.

હું જોઈ રહી છું,

જીવન, જે જીવવાનું છે,

હાસ્ય, જે હસવાનું છે,

આનંદ, જે માણવાનો છે,

પ્રેમ, જે સિદ્ધ કરવાનો છે.

છેવટે હું શીખી રહી છું

જીવનનો મહાવિજય.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

4 thoughts on “પુનર્જન્મ – માર્જોરી પાઈઝર

Leave a reply to અશોકકુમાર દેશાઈ (દાસ) -'દાદીમા ની પોટલી' Cancel reply