હું સાંજને સમયે
મારા જ ઘૂઘવતા દરિયાની પાસે
મારા જ અડીખમ ખડક પર બેસીને
આંખ મીંચીને પ્રાર્થના કરું છું,
બંધ આંખે શોધું છું
મારો પોતાનો પરમેશ્વર.
મારે બુદ્ધને બાળી નાખવા છે
મારે કૃષ્ણને કાળી યમુનાની અંદર
કાયમને માટે પધરાવી દેવા છે.
મને ઉછીના ઈશ્વર જોઈતા નથી
બંધ આંખે જ્યારે
મને મારો ઈશ્વર મળશે
ત્યારે જ
મારા આકાશમાં સૂર્યોદય થશે.
.
( સુરેશ દલાલ )
Saras !
Gamyu.
LikeLike
Saras !
Gamyu.
LikeLike