કવિતામાં કશુંક – સુરેશ દલાલ

કવિતામાં કશુંક ન સમજાય એવું

હોવું જોઈએ

-માણસની જેમ.

બધું જ સમજાઈ જાય છે

પછી

કોઈ રહસ્ય નથી રહેતું.

 .

કિનારો અને સમુદ્ર

હંમેશાં એકમેકની સંગતમાં હોય છે

છતાં પણ

સમુદ્રના પ્રત્યેક મોજાને

સમજવાનો દાવો ખુદ સમુદ્ર પણ ન કરી શકે

તો પછી બાપડા કિનારાની તો વાત જ શી ?

કિનારો પણ એવી પાળ બાંધીને

બેસી ગયો છે

કે એ પોતાને પણ ઓળંગી શકતો નથી.

પછી બીજાને ઓળંગવાની તો વાત જ ક્યાં ?

 .

મારે કશું જ સમજવું નથી.

કેવળ જીવવું છે-

અનંત રહસ્ય સાથે.

 .

( સુરેશ દલાલ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.