પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

જીવનકલા,

સ્વમાં કુદરતનો

સહજ આવિર્ભાવ અને

તેની અભિવ્યક્તિ

એ જ કલા.

પ્રકૃતિનો શતપ્રતિશત પડઘો

એ જ કલા.

પ્રકૃતિના રંગ, રસ, રૂપ, નાદ

અને લય સુધી પહોંચવું,

તેને પામવું અને તેમાં પ્રગટ થવું

એ જ જીવન કલા,

અસ્તિત્વનો ઉત્સવ !

 .

તું કલમ, કાગળ અમે !

 .

(૨)

માણસ,

નિશ્ચિત આકાર અને

ઈન્દ્રિયોના સમુહના

સજીવ ઢીંગલા ઢીંગલી એ માણસ નહીં

પણ પોતાના મૂળ સુધી પહોંચવાનો

પ્રયત્ન કરી તેને ઓળખી,

તેનો અહર્નિશ આભાર માનતાં

જીવંત મંત્રો એ જ માણસ !

પરમોચ્ચ સત્તાના પ્રેમનો પડઘો

એ જ માણસ,

વિશ્વેશ્વરના વિશ્વાસનો ધબકાર

એ જ માણસ.

 .

તું જ્યોત, કોડિયું અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.