(૧)
હે નાથ,
અમારી અપૂર્ણતા સાથે અમને સ્વીકારો, તારી અખંડતાના ઓજસ આંખે આંજીને અમારી નગણ્યતાને અમે ઓળખી શકીએ એવી નમ્રતામાં અમને જગાડો અને જીવાડો.
તારા અમીવર્ષણમાં અમે આનંદે છલોછલ થઈએ એવી વિશાળતાનું અમને વરદાન હો, હે દેવ !
પ્રસાદ
નિરાકાર એ નિત્ય, નૂતન, અખંડ નર્તનની દિવ્ય આનંદ અનુભૂતિ, સીમામાં બાંધી ન શકાય તેવી સંપૂર્ણ હૃદયસ્પંદના.
(૨)
હે નાથ,
તું સર્વત્ર, તારાથી બધું જ સભર એવી શરણાગતિ સાથે સર્વને હૃદયમાં સમાવી શકીએ અને સંતોષમાં સજાવી શકીએ એવા આચરણમાં અમને દોરી જાઓ. તારું જ તને અર્પણ કરીએ છીએ એવી આનસક્તિમાં અમે આનંદીએ એવા ઉજાસમાં અમને સ્થિર કરી દો, હે દેવ !
પ્રસાદ
જડેલું જીવે એ જીવ, જડેલું જ્યાં જાહેર થાય એ જગત અને આ બન્નેને જે જીરવે, જાળવે અને જીવાડે એ જગદીશ.
( ડો. ભરતભાઈ મિસ્ત્રી )