ધીરજનાં બારણાં રાત્રે પણ ખૂલ્લાં રહે છે.
.
બીજા વાવટા ફરકાવે એ માટે આપણે કાપડ વણવાનું છે.
.
આશા કબરની માટીને કહે છે, બહાર સૂર્ય છે.
.
કબર ખોદનારને પોતાના ભવિષ્યની જાણ હોવી જોઈએ.
.
પ્રશ્ન એ નથી કે ઈશ્વર આળસુ છે, પ્રશ્ન એ છે કે સેતાન કામ કરે છે.
.
પરપોટાની વોર્નિંગ છે, સમય છે, મારામાં મોઢું જોઈ લ્યો !
.
ઊંઘમાં સરવાળો કરનારની પણ બાદબાકી થઈ જાય છે.
.
પવન ધૂળને વહેણ, વંટોળોયો વમળ બનાવે છે.
.
ખાલી થયાની અનુભૂતિ ચાના કપને ગરમ રાખે, માણસને નહીં.
.
ખાનગીમાં પયગમ્બર થશો તો તમને કોઈ શૂળી પર નહીં ચડાવે !
.
માણસ તો પોતાના વિના પણ ચલાવી લે એવો સગવડિયો છે.
.
ખોળો પાથરવા પહેલાં લાલ જાજમ પાથરવી પડે છે !
.
કબર એવું ઢાંકણ છે, જે ઉઘડતું નથી.
.
માણસ ઉંબરને ઓળંગ્યા વિના પોતાને ઉલ્લંઘી જાય છે.
.
તમારા અનુસંધાનોને તમે સંબંધો કહો છો !
.
બારણાં બંધ કરવાથી જગત કંઈ બહાર રહી જતું નથી.
.
સુખનું પડીકું હોય કે પારસલ – તે ખૂટી જ જાય છે.
.
છેલ્લી સાન ન આવે એ અવસાન કહેવાય.
.
દરેક ચાલતો માણસ કશાકમાં રોકાયેલો, અટકેલો હોય છે.
.
છાપરું તૂટતું નથી, ઉપરવાળા પરનો ભરોસો તૂટે છે.
.
( રતિલાલ ‘અનિલ’ )