Tag Archives: શ્રદ્ધાંજલિ

તેઓ ક્યાંય જતા નથી…………

(23/08/1938 – 25/12/2012)
(23/08/1938 – 25/12/2012)

જેઓ પંચતત્વમાં લીન થયાં છે તે ક્યાંય ગયાં નથી,
તેઓ તો પડછાયાની જેમ અડીખમ તમારી સાથે જ છે.
તેઓ કાંઈ ધરતીમાં અદ્રશ્ય થયાં નથી,
તેઓ તો માટીની મહેક લઈ વનાંચલમાં વિસ્તરી ગયાં છે.
ને દુ:ખ-દર્દ સમેટી લઈ પ્રગાઢ તરુવરમાં વેરાઈ ગયાં છે.
તો તો કલકલતા ઝરણાંમાં ને ખળખળતી સરીતાઓમાં વહી ગયાં છે,
ને પ્રશાંત મહાસાગરમાં નિદ્રાધીન થઈ ગયાં છે.
જેને તમે મૃતાત્મા કહો છો તે ક્યાંય જતાં નથી,
ઘરમાં, ખેતરમાં કે અડાબીડ ભીડમાં તેઓ અત્ર, તત્ર, સર્વત્ર છે.
તેઓ તો આવનારી પેઢીઓમાં ને માતાના ધાવણમાં છે.
તેઓ તો મંદ સમીર રૂપે હળુહળુ થતા તરુવરમાં ઝૂમી રહ્યાં છે.
ને લીલાંછમ પર્ણોના મર્મર નાદમાં ગુંજી રહ્યાં છે.
તેઓ કાંઈ ધરતીમાં અદ્રશ્ય થયાં નથી,
તેઓ તો અગ્નિકુંડમાંથી દિવ્યજ્યોત સ્વરૂપે અવતરીને,
આપણે આંગણે તુલસીક્યારે ઝળહળે છે
જેને તમે મૃતાત્મા કહો છો તે ક્યાંય જતાં નથી,
તેઓ તો પંચતત્વ રૂપે આપણી આસપાસ જ રહે છે.
એમની સ્મૃતિગાથા સદા આપણી મનોભૂમિમાં જીવંત જ રહે છે.
એટલે જ તો તેઓ ક્યાંય જતાં નથી,
તેઓ તો પડછાયાની જેમ અડીખમ આપણી સાથે જ રહે છે.

( અજ્ઞાત કવિ, મૂળ અંગ્રેજી, મુક્તાનુવાદ : બકુલા ઘાસવાલા )

વિદાય વેળાએ (ભાગ-૧)

(23/08/1938 – 25/12/2012)

(23/08/1938 – 25/12/2012)

અને હવે સાંજ પડી.

ત્યારે સાધ્વી મિત્રાએ કહ્યું,

ધન્ય હો આજના દિનને અને સ્થળને અને આપના આત્માને જેણે અમને વચનામૃત સંભળાવ્યાં.

ત્યારે તે બોલ્યા, શું હું બોલતો હતો કે ?

શું હું સાંભળનારોયે નહોતો કે ?

તે પછી તે મંદિરની પગથીઓ ઊતર્યા, અને સર્વ લોકો તેમની પાછળ ચાલવા લાગ્યા. અને તે વહાણ પર જઈ પહોંચ્યા, અને તેની તૂતક પર ઊભા રહ્યા.

અને લોકો ભણી જોઈ, તે પોતાનો સાદ મોટો કરી બોલ્યા :

ઑરફાલીઝના લોકો, તમારી વિદાય લેવા પવન સૂચવી રહ્યો છે.

પવન કરતાં મારી ઉતાવળ ઓછી છે, છતાં મારે હવે જવું જોઈએ જ.

અમે ભટકનારા, હમેશાં એકાંતનો માર્ગ શોધનારા, જ્યાં એક દિવસ પૂરો કર્યો ત્યાં જ બીજો દિવસ ઊગવા દઈએ નહીં; અને જ્યાં અસ્ત પામતો સૂર્ય અમને છોડી જાય ત્યાં ઉદય પામતો સૂર્ય અમને જોઈ શકે નહીં.

પૃથ્વી ઊંઘતી હોય ત્યારેયે અમે તો ફરતા જ હોઈએ.

અમે છીએ દ્રઢ વૃક્ષનાં બીજો; અમારી પક્વતાની અને અમારા અંતરની પૂર્ણતાની દશામાં અમને પવનને હવાલે કરી સર્વત્ર ઉડાડવામાં આવે છે.

થોડો જ કાળ હું તમારામાં રહ્યો, અને તેથીયે થોડા શબ્દો મેં તમને કહ્યા છે,

પણ મારો અવાજ તમારા કાનમાં જીર્ણ થઈ જશે, અને મારો પ્રેમ તમારી સ્મૃતિમાંથી ભૂંસાઈ જશે, તો વળી હું તમારી વચ્ચે આવીશ.

અને વધારે ભાવથી અને આત્માને વધારે આધીન રહેનારી વાણીથી હું તમારી જોડે બોલીશ.

જરૂર, વળતી ભરતીએ હું પાચો આવીશ,

અને મરણ મને સંતાડી દે, અને વિશેષ મૌન મને ઢાંકી દે, તોયે વળી હું તમારી બુદ્ધિને શોધીશ.

અમે મારી શોધ મિથ્યા નહીં જાય.

અને મેં કહ્યું તેમાં જો કંઈ સત્ય હોય, તો સત્ય વધારે સ્પષ્ટ અવાજમાં, અને તમારી બુદ્ધિને વધારે અનુકૂળ વાણીમાં પ્રગટ થશે.

હું પવન સાથે જાઉં છું, ઑરફાલીઝના લોકો, પણ હું શૂન્યમાં ડૂબી જતો નથી.

અને જો આજનો દિવસ તમારી ભૂખને અને મારા પ્રેમને તૃપ્ત કરનારો ન નીવડ્યો હોય, તો તે બીજે દિવસે પાછા આવવાના કરારરૂપે થાઓ.

મનુષ્યના વિષયો બદલાય છે, પણ તેનો પ્રેમ બદલાતો નથી; તેમ જ નથી બદાલતી ઈચ્છા કે એના પ્રેમથી એના વિષયો તૃપ્ત થાય.

ત્યારે જાણો કે વધારે મોટા મૌનમાંથી હું પાછો આવીશ.

ખેતરોમાં ઝાકળનાં ટીપાં વેરી પ્રભાતમાં ઊડી જનારું ધુમ્મસ, ઊંચે ચડી વાદળામાં બંધાઈ, પાછું વરસાદરૂપે નીચે પડે છે.

અને એ ધુમ્મસથી હું જુદા પ્રકારનો નથી.

રાત્રિની શાંતિમાં હું તમારી શેરીઓમાં ફર્યો છું, અને અમરો આત્મા તમારાં ઘરોમાં પેઠો છે,

અને તમારા હૃદયના ધબકારા મારા હૃદયમાં થતા, અને તમારો ઉચ્છવાસ મારા મોં પર અઅવતો, અને હું તમને બધાને ઓળખતો.

સાચે જ, તમારા હર્ષ અને તમારા પ્રેમને હું અજણતો, અને તમારી ઊંઘમાં તમારાં સ્વપ્નો મારાં સ્વપ્ન બનતાં.

અને ઘણીવાર હું તમારી વચ્ચે પર્વતામાળા વચ્ચે આવેલા સરોવર જેવો થતો.

તમારાં શિખરો અને વાંકાચૂકા ચડાવોનાં, અને વળી તામરા વિચારો અને તમારી કામનાઓના ચાલી જતા ગાડરોનાંયે હું પ્રતિબિંબ ઉઠાવતો.

અને મારા શાંત (હૃદ=સરોવર) પ્રત્યે તમારાં બાળકોનું હાસ્ય ઝરણાંઓ થઈને અને તમારા તરુણોની આકાંક્ષાઓથીયે વધારે મોટાં બની તે (ગાનો) મારી પાસે આવતાં.

એ તમારામાં રહેલો અનંત હતો;

તે વિરાટ પુરુષ જેનાં તમે સૌ માત્ર જુદા જુદા કોશો (cells) અને સ્નાયુઓ જ છો,

અને જેના સૂરમાં તમારું સર્વ સંગીત કેવળ અવાજ વિનાના કંપ જેવું જ છે,

એ વિરાટ પુરુષને લઈને તમે વિરાટ છો,

અને તેના દર્શનમાં મેં તમને જોયા અને ચાહ્યા.

કારણ, એ વિશાળ સ્વરૂપમાં ન હોય એવાં કયાં અંતરોને પહોંચવાની પ્રેમની શક્તિ છે ?

કયાં સ્વપ્નાં, કઈ આશાઓ અને કઈ ધારણાઓ ને ઊંડાણને (ઊંડાણ=આકશમાં ઊંચી ઊડ, flight) ઓળંગી શકે ?

લાખનાં ફૂલથી ઢંકાઈ ગયેલા મહાન વનવૃક્ષના જેવો તે વિરાટ પુરુષ તમારામાં વસે છે. (વનવૃક્ષ=દેવદાર Oak. એમાંથી ઝરીને ફૂલની જેમ બંધાતો ગંધવાળો રસ તેને અહીં લાખ કહ્યો છે.-oakapple)

એની શક્તિ તમને પૃથ્વી સાથે જકડી રાખે છે, એની સુવાસ તમને આકાશમાં ચડાવે છે, અને ચિરંજીવિતામાં તમે અમર છો.

તમને એમ શીખવવામાં આવે છે કે સાંકળની જેમ તમેયે તમારી નબળામાં નબળી કડી જેટલા નબળા હો છો.

આ અર્ધું જ સત્ય છે. તમે તમારી જબરામાં જબરી કડી જેટાલા બળવાન પણ છો.

તમારા સૌથી અલ્પ કાર્ય પરથી તમારું માપ કાઢવું, એ સમુદ્રની શક્તિનો એની ફીણની ક્ષુદ્રતા પરથી ખ્યાલ કરવા બરાબર છે.

તમારી નિષ્ફળતા પરથી તમારે વિશે મત બાંધવો એ ઋતુઓને તેમની અસ્થિરતા માટે દોષ દેવા બરાબર છે.

સાચે જ તમે સમુદ્ર સરખા છો,

અને ભારથી લાદેલાં વહાણો તમારા કિનારાઓ પર ભરતીની વાટ જોતાં ઊભાં હોય તોયે, સમુદ્રની જેમ જ, તમેયે તમારી ભરતીને ઉતાવળ આણી ન શકો.

અને તમે ઋતુઓ સરખાયે છો;

અને જોકે તમારા શિયાળામાં તમે તમારા વસંતનો ઈનકાર કરો છો, (એટલે જાણે વસંત આવનાર જ ન હોય એવું દર્શાવો છો. શિયાળો=નિરાશા, વસંત=આશા).

છતાં વસંત તમારામાં જ સૂતેલો હોઈ, પોતાના ઘેનમાં હસે છે અને ખોટું લગાડતો નથી.

એમ ન માનશો કે આ બધું હું તમને કહું છું તે એટલા માટે કે પછીથી તમે એકબીજાને કહો કે, “એણે આપણં સારાં વખાણ કર્યાં. એણે આપણી સારી બાજુ જ જોઈ.”

હું માત્ર વાચામાં જ તે કહું છું, જે તમે તમારા અંતરમાં જાણો છો જ.

અને વાચામય જ્ઞાન એટલે વાતચીત જ્ઞાનની છાયા સિવાય બીજું શું ?

તમારા વિચારો અને મારી વાચા સીલબંધ કરી રાખેલી આપણી સ્મૃતિના તરંગો માત્ર છે;

એ (સ્મૃતિ એટલે) એક દફતરખાતું જેમાં આપણી ગઈ તિથિઓની,

અને જ્યારે પૃથ્વી આપણને કે પોતાનેયે જાણતી નહોતી તે પ્રાચીન કાળની,

અને જ્યારે તે પ્રલયાવસ્થામાંથી પ્રગટ થતી હતી તે ગરબડવાળી રાત્રિઓની નોંધો રખાયેલી છે.

ઘણા જ્ઞાની પુરુષો પોતાનું જ્ઞાન તમને આપવાને અહીં આવી ગયા છે. હું તમારી પાસેથી કંઈક જ્ઞાન મેળવવા આવ્યો હતો :

અને, ખરે જ, જ્ઞાન કરતાંયે કાંઈક વિશેષમને મળ્યું છે.

એ તમારી અંદર રહેલી, અને સદાયે વધતી જતી, ચૈતન્યની જ્યોતિ;

જો કે તમે તો, એની વૃદ્ધિ તરફ દુર્લક્ષ કરી, તમારા દિવસો વહી ગયાનો શોક કરો છો.

જે જીવન શરીરની અંદરના જ જીવનને શોધે છે, તે જ કબરથી ડરે છે.

અહીં કબરો છે જ નહીં.

આ પર્વતો અને મેદાનો પાળણું અને ચડવાનું પગથિયું છે.

જ્યાં તમે તમારા પૂર્વજોને દાટ્યા હોય તે ખેતર પાસેથી જ્યારે જ્યારે તમે જાઓ, ત્યારે તેને સારી પેઠે તાપસી જુઓ; તો તેમાં તમે તમને પોતાને અને તમારાં બાળકોને હાથમાં હાથ મેળવી નાચતાં જોશો.

ખેર, કેટલીયે વાર તમે ન જાણતાંયે આનંદ કરો છો. (એટલે તમારો આનંદ યોગ્ય કારણસર હોય છે, પણ તેના કારણની તમને ખબર નથી હોતી. તમારા પૂર્વજો તમને મૂકીને કબરમાં ન ગયા હોત, તો તમે આજે નાચી શકત નહીં, અને તમે જો મરો નહીં તો ઊંચેયે ચડી શકો નહીં, અને તમારા વંશજો માટે સ્થાન ખાલી પણ કરી શકો નહીં. તમારા રૂપમાં તમારા પૂર્વજો જ વસે છે, અને તમારા વંશજોમાં તમે જ અવતાર લો છો. એ દ્રષ્ટિએ મરણ તપાસો તો એમાં ડરવા જેવું કશું નહીં જણાય.)

વળી કેટલાક તમારી પાસે આવી ગયા છે જેઓ તમારી શ્રદ્ધાને સુવર્ણમય આશાઓ આપી ગયા છે; તેના બદલામાં તમે તેમને માત્ર ધન અને સત્તા અને કીર્તિ જ આપ્યાં છે.

મેં તમને આશાથીયે ઓછું આપ્યું છે, છતાં તમે મારા પ્રત્યે વધારે ઉદારતા બતાવી છે.

તમે મને ચૈતન્ય માટેની વધારે તીવ્ર તૃષા આપી છે.

સાચે જ, જે વડે માણસના સર્વે ઉદ્દેશો સુકાઈ જનાર હોઠ બની જાય, અને સર્વ જીવન એક ઝરણું બની જાય તે કરતાં કોઈ વધારે મોટી ભેટ હોઈ શકે નહીં.

અને મારું માન અને મારો બદલો આ જ વાતમાં રહ્યો છે કે-

જ્યારે જ્યારે હું એ ઝરણા પાસે પીવા આવું છું, ત્યારે તેનું ચૈતન્ય-નીર પોતે જ મને તરસ્યું માલૂમ પડે છે;

અને હું એને પીઉં છું ત્યારે તેયે મને પીએ છે.

(ખલીલ જીબ્રાન, અનુ. કિશોરલાલ મશરૂવાળા)

શ્રદ્ધાંજલિ

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ।।

રીડગુજરાતીના સંપાદક શ્રી મૃગેશભાઈ શાહને “મોરપીંછ” તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ.

હિના પારેખ “મનમૌજી”

Photo Courtesy : Vinaybhai Khatri

મા એટલે…(પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ)

(23/08/1938 - 25/12/2012)
(23/08/1938 – 25/12/2012)

.

 

મા કદી મરતી નથી : માનો દેહ ન હોય ત્યારે એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે.

***

જેને પત્ર ન લખ્યો હોય છતાં એની આંખોમાં લખવા ધારેલા પત્રનો પ્રેમાળ જવાબ વંચાય તે મા.

***

મા એટલે જગતજનની.

***

( હરીન્દ્ર દવે )

 .

‘માતા’ શબ્દ નથી પણ શબ્દતીર્થ છે.

 .

( ગુણવંત શાહ )

 .

પરથમ પરણામ મારાં માતાજીને કહેજો,

માન્યું જેણે માટીને રતનજી,

ભૂખ્યા રહી જમાડ્યા અમને

જાગી ઊંઘાડ્યા એવા

કીધાં રે કાયાનાં જતનજી.

 .

( રામનારાયણ પાઠક )

.

માતા એ જ વિધાતા છે.

***

જે જતન કરે તે મા.

***

માતા એ શાશ્વતીનું બીજું નામ છે.

***

( સુરેશ દલાલ )

 .

માના વિષયમાં હું શું, કેવી રીતે લખું કે બોલું ? તે મારી એટલી નિકટ છે એટલે તો એના વિશે કંઈ પણ બોલવું વિકટ છે અને મને એમાં અસંસ્કારિતા લાગે છે.

 .

( હેલન કેલર )

.

ઈશ્વરને પહેલી વાર માતાનો વિચાર આવ્યો હશે ત્યારે ખુદ ખુદાના ચહેરા પર એક સંતોષનું સ્મિત ફરક્યું હશે અને તરત જ એણે માનું સર્જન કર્યું હશે. મા વિશે ઈશ્વરની કલ્પના આવી હશે. ચિક્કાર સમૃદ્ધ, હૃદયના ઊંડાણથી ભરી ભરી, અત્યંત દિવ્ય, આત્મશક્તિ અને સૌંદર્યથી સભર સભર.

 .

( હેન્રી બિયર )

 .

મા જેવો છાંયડો ક્યાંય હોય નહીં, માતા જેવી કોઈની ગતિ નહીં, માતા સમું બીજું કોઈ છત્ર નહીં અને મા જેવું પ્રિય કોઈ જ નહીં.

 .

( મહર્ષિ વેદ વ્યાસ )

મા એટલે…(અગિયારમી માસિક શ્રદ્ધાંજલિ)

Mummy-1
(23/08/1938 – 25/12/2012)

* * *

VID-20130601-WA0007

* * *

Maa

* * *

जाड़े की जब धूप सुनहरी
अंगना में छा जाती है
बगिया की माटी में तुलसी
जब औंचक उग आती है
माँ की याद दिलाती है

हो अज़ान या गूँज शंख की
जब मुझसे टकराती है
पाँवों तले पड़ी पुस्तक की
चीख हृदय में आती है
माँ की याद दिलाती है

कटे पेड़ पर भी हरियाली
जब उगने को आती है
कटी डाल भी जब कातिल का
चूल्हा रोज़ जलाती है
माँ की याद दिलाती है

अदहन रखती कोई औरत
नन्हों से घिर जाती है
अपनी थाली देकर जब भी
उनकी भूख मिटाती है
माँ की याद दिलाती है

सुख में चाहे याद न हो, पर
चोट कोई जब आती है
सूरज के जाते ही कोई
दीपशिखा जल जाती है
माँ की याद दिलाती है

( मंजु रानी सिंह )

* * *

बेसन की सोंधी रोटी

 

बेसन की सोंधी रोटी पर
खट्टी चटनी जैसी माँ
याद आती है चौका बासन
चिमटा फुँकनी जैसी माँ

 

बान की खूर्रीं खाट के ऊपर
हर आहट पर कान धरे
आधी सोई आधी जागी
थकी दुपहरी जैसी माँ

 

चिड़ियों की चहकार में गूँजे
राधा-मोहन अली-अली
मुर्गे की आवाज़ से खुलती
घर की कुंडी जैसी माँ

 

बीवी बेटी बहन पड़ोसन
थोड़ी थोड़ी सी सब में
दिनभर एक रस्सी के ऊपर
चलती नटनी जैसी माँ

 

बाँट के अपना चेहरा माथा
आँखें जाने कहाँ गईं
फटे पुराने इक अलबम में
चंचल लड़की जैसी माँ

 

( निदा फ़ाज़ली )

* * *

चीटियाँ अंडे उठा कर जा रही हैं
और चिड़ियाँ नीड़ को चारा दबाए
थान पर बछड़ा रंभाने लग गया है
टकटकी सूने विजन पथ पर लगाए

थाम आँचल थका बालक रो उठा है
है खड़ी माँ शीश का गट्ठर गिराए
बाँह दो चुमकारती-सी बढ़ रही हैं
साँझ से कह दो बुझे दीपक जलाए

शोर डैनों में छिपाने के लिए अब
शोर माँ की गोद जाने के लिए अब
शोर घर-घर नींद रानी के लिए अब
शोर परियों की कहानी के लिए अब

एक मैं ही हूँ कि मेरी साँझ चुप है
एक मेरे दीप में ही बल नहीं है
एक मेरी खाट का विस्तार नभ-सा
क्यों कि मेरे शीश पर आँचल नहीं है

( सर्वेश्वर दयाल सक्सेना )

મા એટલે…(દસમી માસિક શ્રદ્ધાંજલિ)

Mum-2
(23/08/1938 – 25/12/2012)

.

 

माँ : एक याद

माँ!
याद तो आता नहीं
तुम्हारा
गोदी में वो मुझे झुलाना
दूध का अमृतरस चखाना
झुनझुने से मेरा दिल बहलाना
लोरी का वो गुनगुनाना
माथे को प्यार से चूमना
गुदगुदी से हँस हँस हँसाना
उँगली पकड़ चलना सिखाना

पर
याद है, माँ मुझे
हाथ में उँगली थामें लिखवाना
खून पसीने से मेरे जीवन को सींचना
मुश्किलों में हौसले का बँधाना
प्यार में आँसुओं का छलकना
गम में रोऊँ तो सहलाना
आने चाहे तुफ़ानों को रोक लेना
अंधेरे में रोशनी का दिखलाना
पास ना रहूँ, तो याद में रोना

और फिर वो पल
जब-
माँ बेटी का रिश्ता बना दोस्ताना
माँ के इस प्यार की बेल का
चढ़ते ही जाना
इंद्रधनुषी रंग में जीवन को रंग देना
तुम्हारी हँसी में दुनिया पा जाना

जीवन की है यह ज्योति
जलती रहे निरंतर
आशीश रहे सदा माँ का
असीम है माँ का प्यार!

( संध्या )

મા એટલે…(નવમી માસિક શ્રદ્ધાંજલિ)

p9040339-web
(23/08/1938 – 25/12/2012)

.

નિતાંત અને નિશ્ચલ
-એ મા હોય છે.
.
જે કંઈ પૂછ્યા વિના, કંઈ કહ્યા વિના
પામી જાય છે સર્વ
અને છતાં
જેનું ભાવવિશ્વ એવું જ ભીનું ને સુંવાળું રહે છે
-એ મા હોય છે.
.
જગતના સર્વ ચહેરામાં
એક ચહેરો એવો કરુણાભર્યો
જેની સામે જોતાં માત્ર વ્હાલ અને સ્વીકારની
અનુભૂતિ થાય –
જે સ્વીકારે છે પોતાના અંશને જેવો છે તેવો,
કોઈ અહોભાવ કે ઉપાલંભ વિના, ઉપેક્ષા વિના,
પોતાની જાત કરતાં પણ
પોતાના અંશને જે વિશેષ સ્વીકારે છે, સમજે છે
-એ મા હોય છે.
.
મા-
એ હોય છે
જે દરેક સમયે, દરેક સંજોગોમાં, દરેક સ્થિતિમાં
મા જ હોય છે
મા અને માત્ર મા
મા.

 .

( પ્રજ્ઞા પટેલ )

 

ચાંદરણાં (૧૫) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ ખાલી ખાતે કોરો ચેક આપીને બેલેન્સ વધારે છે.

 .

માણસ હાથી નથી એટલે તે માત્ર પ્રેમમાં જ ગાંડો થાય છે !

 .

પ્રેમની રફતાર માત્ર બે જ જણને ગિરફતાર કરે છે.

 .

પ્રેમી સિવાય કોઈ સાનમાં સમજતું નથી !

 .

પ્રેમ ભીના રૂમાલની ગડી વાળવાનું શિખવે છે !

 .

પ્રેમ અગિયારીનો આતશ હોય તો તે કદી ઓલવાતો નથી !

 .

પ્રેમ તો દીવેટીઓ દીવો છે અવસરનું તોરણ નહીં.

 .

પ્રેમ વિસ્તરે છે પણ પાતળો પડતો નથી.

 .

પ્રેમની શતાબ્દિ ઉજવવી હોય તો ૧૨૧ વર્ષ જીવવું પડે !

 .

તમે બારણાં બંધ કરશો તો પ્રેમ પોતાનું પ્રવેશદ્રાર શોધી જ લેશે !

 .

પ્રેમીઓ માત્ર એકબીજા માટે જ ‘મળતાવડા’ હોય છે !

 .

પ્રેમ અડધો અડધો થાય છે અને બે અડધે એક થાય છે !

 .

એકાંતને જીભ નથી હોતી એટલે તે પ્રેમનું સાક્ષી બને છે !

 .

વિરહ એ યાદગાર એકાંત હોય છે.

 .

આંસુની રેખા ગાલ પર અટક્યા પછી યે લંબાયા કરે છે.

 .

પ્રેમ ખેલ નથી પણ સૌથી વધારે ખેલદિલી પ્રેમમાં જ હોય છે !

 .

શહેરના નકશામાં ન આવેલા કેટલાક ઝોન માત્ર પ્રેમીઓ જ જાણે છે !

 .

મારા આંગળાની છાપ મારા દોસ્તના હાથમાં છે !

 .

કોરા પરબીડિયાને પ્રેમપત્રનું ભવિષ્ય હોય છે.

 .

આંસુ પાસે અટકી જાય તે સ્મિત સુધી પહોંચતો નથી.

 .

જેમાં તણખા છુપાયા હોય તે તણખલા કહેવાય !

 .

મને મળવાનું હું ટાળું છું ને ઉંઘ આવે છે.

 .

માળો બાંધવો નથી પડતો, ગોઠવવો પડે છે.

 .

દુ:ખ જેવું કશું પોતીકું નથી હોતું !

 .

પાણીદાર માણસે વરાળ બન્યા વિના જ ઉંચે જવાનું છે.

 .

પ્રેમની આંખો પાસે પોતીકું પ્રતિબિમ્બ હોય છે.

 .

પ્રેમ એવી ભીનપ છે. જેમાં કશું ઊગે છે ને આપોઆપ ઉછરે છે.

 .

અહીં રણ જ હશે ! મોસમ છે પણ મોસમનાં પંખી નથી !

 .

પ્રેમ, પ્રેમને જ અનુસરે છે.

 .

પ્રેમ તો કોરી કિતાબ હોય છે, વડીલો એમાં સૂચિપત્ર જોડે છે.

 .

એકાંતને જીભ નથી હોતી એટલે તે પ્રેમનું સાક્ષી બને છે !

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૧૪) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ અરણ્યમાંથી પસાર થતો ઉપવને જાય છે.

 .

ભીરુ પ્રેમ બેઠા બેઠા પોતાની પાંખો ફફડવ્યા કરે છે.

 .

પવનનો સાથ મળે તો રાખ પોતામાંથી જ ઊભી થાય છે.

 .

પ્રેમને દીર્ઘાયુ થવા માટે વાત્સલ્ય પણ થવું પડે.

 .

પ્રેમનાં આંસુ સુકાયાં પછી પણ ભીનાં રહે છે.

 .

પંખીને પાંખ આવે તો એના પડછાયાને પણ પાંખ આવે !

 .

કોઈ કોઈ પીડાને પોતાની સુવાસ પણ હોય છે.

 .

પ્રેમ અઘરી શોધ છે, કેમ કે તે બીજામાં (પણ) શોધવાનો હોય છે.

 .

પ્રેમ સારો અનુભવ છે, ભલે તે આપણે બીજાને કે બીજાએ આપણને કરાવ્યો હોય !

 .

ઊડી ગયેલી ચકલીનું ખરેલું પીંછું પસવારીએ તે વિરહપ્રેમ !

 .

રીસે ભરાતાં નથી તેમનું સૌન્દર્ય અપૂર્ણ રહે છે.

.

પ્રેમ ઉછેરી શકાતો નથી, તે જ તમને ઉછેરે છે !

 .

પ્રેમ અંતર રાખે છે, અને સાથે પણ રહે છે !

 .

પ્રેમ લ્હેરખી છે, અને ઝંઝાવાત પણ !

 .

પ્રેમ એ પોતામાં ફોરતી અને અજાણી દિશામાં જતી ફોરમ છે.

 .

છીપની કેદ અને અંધકાર છોડી પ્રેમનું મોતી પ્રકાશમાં આવ્યું છે.

 .

પ્રેમ એ દ્રવ છે પણ અતિ ઉત્સાહી અને ઉપદ્રવ બનાવી દે છે !

 .

પ્રેમમાં ઉજાગરો માથે નથી પડતો, લાલ થઈને આંખોમાં પડે છે.

 .

અનિદ્રા એ રોગ નહીં અફવા છે, માત્ર પ્રેમીઓ જ એ પુરવાર કરે છે.

 .

પ્રેમ હવે યજ્ઞ નથી એટલે અગ્નિ પરીક્ષા નથી.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૧૩) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ, દર્ભાસને બેસવા કરતાં પાથરેલા રૂમાલ પર બેસવાનું પસંદ કરે છે !

 .

એ પ્રેમ જ છે, જે બે ખેતરો વચ્ચેની વાડને તોડી પાડે છે !

 .

જે હાથ મેળવે છે તે સોનાની વીંટી પણ મેળવે છે !

 .

પ્રેમવિહોણું જીવન એ ઋતુઓ વગરના આકાશ જેવું છે.

 .

વિરહની દૂરતામાં કોઈ માઈલ સ્ટોન નથી હોતા.

 .

વિરહમાં દૂરતા છે, પણ તે માપવાની કોઈ મેઝરટેપ નથી.

 .

‘વિરહ’એ વર્ષામાં નજીક આવતું, ‘દૂરનું આકાશ’ છે.

 .

વિરહ એ દૂર દેખાતી જ્યોતિ છે, ભયસૂચક દીવાદાંડી નથી.

 .

માણસને માણસની, સહરા જેવી તરસ લાગે તે વિરહ.

 .

વિરહમાં ‘વિભક્તિ’ પણ ‘સંધિ’ બની રહે છે !

 .

પ્રેમ પ્રગટ થવા પહેલા સાત વાર સંતાય છે !

 .

પ્રેમ ભીંતો બાંધે છે, અને બારણું પણ રાખે છે !

 .

પ્રેમ મરતો નથી એટલે ‘ઈતિહાસ’ પણ બનતો નથી !

 .

તમારે ફના થવું હોય તો કોઈપણ કહેવાતા આદર્શને ‘વ્યસન’ બનાવો !

 .

પ્રેમ એકચિત્ર હોય છે, પછી તેનું આલ્બમ રચાવા માંડે છે.

 .

પ્રેમીની સ્મૃતિમાં એક આર્ટ ગેલેરી હોય છે !

 .

પ્રેમ : મોસમનાં વરસતાં વાદળાં સરોવરમાં સ્થાયી થાય છે.

 .

પ્રેમ આશય નથી એટલે છુપાતો નથી.

 .

એકલા પડવાના ભયથી ‘સાથી’ શોધશો તો ‘રાહદારી’ જ મળશે !

 .

ધરા પર ચાલનારો પ્રેમ, આકાશનું પક્ષી પણ હોય છે !

 .

( રતિલાલ ‘અનિલ’ )