મા એટલે…(નવમી માસિક શ્રદ્ધાંજલિ)

p9040339-web
(23/08/1938 – 25/12/2012)

.

નિતાંત અને નિશ્ચલ
-એ મા હોય છે.
.
જે કંઈ પૂછ્યા વિના, કંઈ કહ્યા વિના
પામી જાય છે સર્વ
અને છતાં
જેનું ભાવવિશ્વ એવું જ ભીનું ને સુંવાળું રહે છે
-એ મા હોય છે.
.
જગતના સર્વ ચહેરામાં
એક ચહેરો એવો કરુણાભર્યો
જેની સામે જોતાં માત્ર વ્હાલ અને સ્વીકારની
અનુભૂતિ થાય –
જે સ્વીકારે છે પોતાના અંશને જેવો છે તેવો,
કોઈ અહોભાવ કે ઉપાલંભ વિના, ઉપેક્ષા વિના,
પોતાની જાત કરતાં પણ
પોતાના અંશને જે વિશેષ સ્વીકારે છે, સમજે છે
-એ મા હોય છે.
.
મા-
એ હોય છે
જે દરેક સમયે, દરેક સંજોગોમાં, દરેક સ્થિતિમાં
મા જ હોય છે
મા અને માત્ર મા
મા.

 .

( પ્રજ્ઞા પટેલ )

 

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.