વાણી કબીરની – હરકિસન જોષી

દેખાય નહીં ઘાવ, કળા તારા તીરની !

સૌરભ ન પારખી શકી લીલા સમીરની !

 .

પીડા તરસની લઈને ભટકતા’તા વાટમાં

પનઘટ ઉપર લઈ ગઈ વાણી કબીરની !

 .

માણસને જોવો જોઈએ માણસ રૂપે બધે

એ ઝૂંપડું હો કે હો હવેલી અમીરની

.

ધારું તો હાથ ઝાલી લઉં હું સૌના દેખતા

મર્યાદા નડે તેં સનમ ખેંચી લકીરની !

 .

આંખોમાં રહી એકલા આકાશની ઝલક

બહેતર દશા છે આજ તો તારા ફકીરની !

 .

( હરકિસન જોષી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.