પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

હે નાથ,

  .

રામનામની પ્રાર્થનામાં  સમેટાયેલ અને સમાયેલ સમગ્ર જીવનના આંગણે અમે લાભ-શુભના કંકુ ચોખાના સાથિયા થઈ રહીએ એવું સૌભાગ્ય અમને આપો.

.

આદિ, અંતે અને મધ્યે રામ-હી-રામની અનાહત સ્પંદના અમારો વિરામ હો, હે દેવ !

 .

પ્રસાદ

સ્વરથી ઈશ્વર ભણી એમ નહીં પણ સ્વર જ સ્વયમ ઈશ્વર એવો પ્રગટ પ્રકાશ એ જ ‘રામેશ્વરમ’, નાદબ્રહ્મનો સૂરમય ઉજાસ.

 .

(૨)

હે નાથ,

 .

અત્યંત પ્રકાશમય માયાના અડાબીડ અંધારેથી અમને અમારી ઓળખ સુધી દોરી જાઓ. અંજાઈને આંધળાભીંત થયેલ અમને આંગળી પકડીને ઉગારો, હે દેવ !

 .

પ્રસાદ

પ્રકાશને પામવા માટે પ્રગટી જવું પડે એવી દર્શન દિવ્યતાનું નામ તિરૂપતિ. અંદરના અજવાળે ઓળખાતી અને ઉજવાતી આનંદજ્યોત એ જ બાલાજી.

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.