કેમેય સમજાતું નથી મને,
જીવવાના વાંકે ને પછી
મરવાના કારણે-
શું છે આ લડાઈ.
.
આ તો ખટપટોનો છે
આ ખેલ-તમાશો
જોયા કરું છું નિતનિત
અહીં બેસી દેખું રોજબરોજ
આ તત્વ-તમાશો
જોઈ રહું અનલ-અનિલ
પેલું આકાશ ને અવકાશ પણ
આમ ધરા ફરતે ફરતો રહું
જાણ્યે-અ-જાણ્યે.
.
અહીં જિહ્વા, મન, બુદ્ધિ
ચિત્ત ચોમેરે આંટા-ફેરા
કરતા જોઈ રહું.
.
હું જ મને પૂછવા બેસું-
સમ-વિસમ
શું છે આ મારી અકથ
અર્થ-કહાની ?
.
( પ્રાણજીવન મહેતા )