સમજાતું નથી મને – પ્રાણજીવન મહેતા

કેમેય સમજાતું નથી મને,

જીવવાના વાંકે ને પછી

મરવાના કારણે-

શું છે આ લડાઈ.

 .

આ તો  ખટપટોનો છે

આ ખેલ-તમાશો

જોયા કરું છું નિતનિત

અહીં બેસી દેખું રોજબરોજ

આ તત્વ-તમાશો

જોઈ રહું અનલ-અનિલ

પેલું આકાશ ને અવકાશ પણ

આમ ધરા ફરતે ફરતો રહું

જાણ્યે-અ-જાણ્યે.

 .

અહીં જિહ્વા, મન, બુદ્ધિ

ચિત્ત ચોમેરે આંટા-ફેરા

કરતા જોઈ રહું.

 .

હું જ મને પૂછવા બેસું-

સમ-વિસમ

શું છે આ મારી અકથ

અર્થ-કહાની ?

 .

( પ્રાણજીવન મહેતા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.