જો અચાનક સાંજ પડશે, તો પછી તું શું કરીશ – સુરેન્દ્ર કડિયા

જો અચાનક સાંજ પડશે, તો પછી તું શું કરીશ !
તારી છાયા તુજને નડશે, તો પછી તું શું કરીશ !

તું પવનમાં પૃષ્ઠ ઉપર કાઢી નાખ જલદી
વૃક્ષના ભાવો ગગડશે, તો પછી તું શું કરીશ !

એક સપનું આંખનું સાકાર કરવાનું કરી લૈ
જો એ આંસુ થઈને દડશે, તો પછી તું શું કરીશ !

તું ભલે વરદાન લઈ પારસમણિમય થઈ ગયો
હાથ તારો તુજને અડશે, તો પછી તું શું કરીશ !

કાં વિચારોની અ-ધ-ધ-ધ ઊંચાઈ પર ચડ્યો !
એક પગલું જો લથડશે, તો પછી તું શું કરીશ !

( સુરેન્દ્ર કડિયા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.