ન કોઈ નિવારણ-હરકિસન જોષી

આ સ્વાસ્થ્યનું કથળવું અકારણ છે વૈદ્યજી !
એક દર્દ બીજા દર્દનું મારણ છે વૈદ્યજી !

જંગલથી જડીબુટ્ટી જરૂર શોધી લાવશે,
પશુઓને ચારનારો આ ચારણ છે વૈદ્યજી !

એ ઔષધે જ સૌને સ્વર્ગવાસી બનાવ્યા;
ટીવીમાં જેનું રોજ પ્રસારણ છે વૈદ્યજી !

ભીંજાઈ ગયા ત્યારે ખરું જાણવા મળ્યું;
વૈશાખના જ તાપથી શ્રાવણ છે વૈદ્યજી !

શું કરશો અહીં ખોલી દવાખાનું એ કહો;
મૃગજળથી છલોછલ જ્યાં ભર્યું રણ છે વૈદ્યજી !

અદ્દભુત કોઈ રોગ લઈ જીવીએ છીએ;
જેનું કદી ન કોઈ નિવારણ છે વૈદ્યજી !

( હરકિસન જોષી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.