તોયે આપણે કેમ ?-પન્ના નાયક Feb2 ખોવાઈ ગયેલા સુખના પડઘાઓ એકઠા કરવાથી સુખ નથી મળતું. ખરી ગયેલી પાંદડીઓને એક પછી એક પાછી ગોઠવવાથી ફૂલ ક્યાં ફરી સર્જી શકાય છે ? ઉછળતા એક મોજાને નજરમાં પરોવીએ પણ એમાં દરિયો તો ઘુઘવતો નથી. સુખ તો ડૂબી ગયું છે ક્યાંક તળિયે તૂટી ગયેલી કોઈક નૌકાની જેમ ! તોયે આપણે કેમ ? ખરી ગયેલી પાંદડીઓને ગોઠવી ફૂલ સર્જવામાં અને એક મોજામાં સમુદ્રને સમાવવાના પ્રયત્નમાં રત રહેતાં હોઈશું ? ( પન્ના નાયક )