અને-માધવ રામાનુજ

વરસે અનરાધાર
અને મન કોરું કોરું !
તરસે લથબથ પ્રાણ
અને મન કોરું કોરું !

અંતરમાં એકલતાનું રણ ધોમ ધખે છે ત્યારે,
પગરવને અંકૂરિત કરવા બીજ રોપશો ક્યારે ?
મૃગજળ સમા વિરહના દરિયા
ને સ્મરણોનું ફોરું…
વરસે અનરાધાર
અને મન કોરું કોરું…

અમને અંતરિયાળ મળ્યું એ હતું કયું અજવાળું !
એક જ ઝબકારે અનંતને આરપાર હું ભાળું…
તોય નથી તલભાર પલળતું,
આંસુ ફોરું ફોરું…
વરસે અનરાધાર
અને મન કોરું કોરું !
તરસે લથબથ પ્રાણ
અને મન કોરું કોરું !

( માધવ રામાનુજ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.