એક મીણબત્તી જરા સળગી-મનોજ્ઞા દેસાઈ

એક મીણબત્તી જરા સળગી અને બુઝાઈ ગઈ,
એમ તારી વાત મારી વાતમાં ખોવાઈ ગઈ.

પથ્થરોમાં જે લખાયા એ શિલાલેખો બન્યા,
નામ શું આપું સ્થળે જ્યાં યાદ તુજ કોરાઈ ગઈ.

ત્યાં ગઝલ એ બહાર આવી હોઠેથી શબ્દોરૂપે,
એક તીણી ચીસ જ્યારે ભીતરે ધરબાઈ ગઈ.

સાચવીને જાળવીને મેં મને રાખી છતાં,
કણકણ બનીને અસ્મિતા મારી જ ત્યાં વેરાઈ ગઈ.

સૂર્યકિરણો સહેજ અડકી ખીલવે કળીને સદા,
પણ કળીનો વાંક શો જ્યાં સવારો કરમાઈ ગઈ.

( મનોજ્ઞા દેસાઈ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.