-
ધ્યાન એક તારું ધર્યું છે – લલિત ત્રિવેદી
મૌનના તળિયે રહીને ધ્યાન એક તારું ધર્યું છે કોરા આભલીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે . મેં ક્યાં મંદિરીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે મેં તો સગપણીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે . હું ઋષિઓ શબ્દ…હું લેખિની દાદાગણપતિની તોય કાગળીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે . ત્યારે ઘરમાં ઝીણા ઝીણા મોરલા…
-
પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧) ત્યાગ, આવી મળેલુ છૂટે એ જ નહીં પણ મેળવવાના વલખા છૂટી જાય એ જ ત્યાગ. વૈરાગ્યના વિસ્તારે જે કુંપળ ફૂટે એ જ જીવંત ત્યાગ. છોડી શક્યાનો અહંકાર પછી સહજ છૂટે એ જ પૂર્ણ ત્યાગ. વૈરાગ્યની ગંગામાં નિરાવરણ પારદર્શક સ્વદર્શન એ જ ત્યાગ દીક્ષા ! . તું અન્ન, ઓડકાર અમે ! . (૨) દીક્ષા, સ્પષ્ટ…
-
આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- શ્યામની બા
મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? . અક્ષરધનનું અમૃત . પૂણેમાં દત્તા પુરાણિક નામે એક દાદાજી છે. એમની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે. હાલમાં જોકે પથારીવશ છે. પણ હજી હમણાં સુધી એમનું એક વ્રત હતું. દિવસમાં ઓછામાં ઓછી ‘શ્યામચી આઈ’ નામના પુસ્તકની એક નકલ વેચવી. એક પણ પ્રત વેચાય નહીં તે દિવસે જમવાનું નહીં. ઉપવાસ…
-
ફૂલની એક ડાળીને – સુરેશ દલાલ
ફૂલની એક ડાળીને કાચની બારી સાથે પ્રેમ થયો. . બારી તો બંધ ને ડાળી તો અંધ આ કેવો સંબંધ ! રે, પૂછો નહીં કેમ થયો ? ફૂલની એક ડાળીને કાચની બારી સાથે પ્રેમ થયો. . કોઈક દિવસ બારી તો ખૂલશે એ આશામાં, ડાળી તો ઝૂલ્યા કરે : સૌરભની ભાષામાં ગુનગુનતી ગીત : પણ અંતે નિરાશામાં.…
-
સ્વીકારી ના શકાય – ગુણવંત ઉપાધ્યાય
સ્વીકારી ના શકાય, નકારી શકાય ના; સપનું, સમય ને આભ મઠારી શકાય ના. . સહેજે તરાવી કે પછી તારી શકાય ના, તરણાંથી આખી જાત ઉગારી શકાય ના. . કાગળ ઉપર કલમથી વ્યથા, વંચના, વિરહ; અંધાર, આંસુ, આહ ઉતારી શકાય ના. . ભાલે ઊગેલ સૂર્ય અચાનક ડૂબ્યા પછી- આકાશ ખાલીપાનું વિચારી શકાય ના. . ખાલી કૂવામાં…
-
પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧) સ્વધર્મ, સહજ, સત્ય સંકલ્પ અને સ્નેહ સભર ધારાએ કલ્યાણ કર્મના શિવલીંગની પૂજા એ જ સ્વધર્મ. દેખીતા સ્થૂળ લાભાલાભથી દૂર, બહુજનહિતાય શ્વાસની સુગંધ એ જ સ્વધર્મ કર્મેશ્વરનું રોકડુ રૂપ એ જ સ્વધર્મ ! તું દ્રષ્ટિ, દર્પણ અમે ! (૨) શ્રદ્ધા, ‘થાઓ’ એવી પ્રાર્થના ‘થયુ’માં પડઘાય એ જ શ્રદ્ધા ! સંકલ્પ અને સિદ્ધિ વચ્ચેના…
-
મા એટલે…(ચોથી માસિક શ્રદ્ધાંજલિ)
. પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્યથયું. એટલે જ તેણે “મા’નું સર્જન કર્યું ! . તારાઓ આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે. . ( હારગ્રેવ ) . જગતમાં સહુના ઉપકારનો બદલો વળી શકે છે, ભક્તિભાવ વડે પ્રભુના ઉપકારો પ્રિછ્યાનો સંતોષ પણ વળે, બદલો નથી વાળી શકાતો એકમાત્ર માતાના ઉપકારનો…
-
ભાઈ દે તો – ખલીલ ધનતેજવી
ભાઈ દે તો મિત્ર જેવો ભાઈ દે, જિન્દગી અથવા તો એકલવાઈ દે ! . તું ખુદા શિખર દે અથવા ખાઈ દે, પણ મને જીવનમાં બેપરવાઈ દે ! . લાખ અપરાધો ભલેને એ કરે, જીભ પર એની ફક્ત સચ્ચાઈ દે ! . એ પછી તો સો વરસ જીવી શકીશ, મોતને વાતોમાં તું અટવાઈ દે ! .…
-
પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧) પ્રાર્થના, જે પ્રાપ્ત, તેની પ્રસન્ન પહોંચ એ જ પ્રાર્થના ! પ્રત્યેક પળમાં પરમની પ્રગટ હાજરીનાં અહેસાસનો શબ્દોચ્છવ એ જ પ્રાર્થના. એકત્વના આરાધનની અખંડ આનંદધારા એ જ પ્રાર્થના ! . તું વાદક, વાંસળી અમે ! . (૨) ધર્મ, વ્યવહારે ઉઠતી અને વિશ્વે ફેલાતી વિવેક સુગંધ એ જ ધર્મ. શૂન્ય સ્વથી અસીમ સર્વેશ્વર ભણીની ગતિનું યાત્રાગાન…
-
પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧) હે નાથ, તું પ્રેમ બનીને પ્રગટી રહ્યો છે ત્યારે તને પૂર્ણ પામવાની અમારી પાત્રતાને શુદ્ધ અને સિદ્ધ કરી દે. અમારી દ્રષ્ટિમાં પ્રેમનું આંજણ થઈને અમને તારા ભણી દોરી જાઓ, હે દેવ ! . પ્રસાદ : જે વહેતું રહે, વિસ્તરતું રહે, શુદ્ધ હોય અને વિશુદ્ધ કરે, પોષે અને પાવક કરે, અનંત પ્રસરે અને અસીમ હોય,…
-
Home