-
આજની રાત – રૂમી
. ૧. આજની રાત હું ખુશખુશાલ છું મારા મિત્ર સાથે હું યુક્ત વિરહની વેદનાથીમુક્ત. નર્તન કરું છું હું મારા પ્રિય-તમ સાથે મારા હૃદયને કહું છું : હવે ચિંતા છોડી દે સવારની ચાવી મેં ક્યારનીયે ફેંકી દીધી છે. . ૨. એક જ આશા, અને કેવળ એક જ આશા; તારો પ્રેમ, એક જ શક્તિ, અને કેવળ એક…
-
રોજ તારા નામનો – મુકેશ જોષી
રોજ તારા નામનો કક્કો ગોખું તને મળવાનાં ગોખું પલાખાં મૂળિયાંની જેમ જાય ઊડી ના કેમ આ લાગણીની વિસ્તરેલી શાખા… . મારી ભૂગોળના દરિયા તુજ આંખમાં ને વાંચતાં આ જાત ડૂબે ગઈ સૂરજ ઊગે તે દિશા પૂરવ કહેવાય, તો તું ઊગે એ દિશા કઈ: પડતા વરસાદના કારણમાં એટલું, સ્મરણોનાં ચોમાસાં આખ્ખાં…રોજ . પાણીપત નહીં, પાણીદાર એવી…
-
નડે છે અમોને – મેઘબિન્દુ
તમારી શરાફત નડે છે અમોને અમારી શરાફત નડે છે અમોને . હતો ખ્યાલ એવો કે સંધાઈ જાશે કરી જે મરામત નડે છે અમોને . સહ્યાં દ્વેષ ઈર્ષા ને અન્યાય પળેપળ હવે તો અનાગત નડે છે અમોને . અહીં પ્રેમ પૂજ્યો પ્રભુના સ્વરૂપે છતાં જે લખ્યા ખત નડે છે અમોને . અસ્મિતા અહમનો નથી ભેદ ઝાઝો…
-
मेरा संदेश – ओशो
मेरा संदेश छोटा सा है: आनंद से जीओ और जीवन के समस्त रंगो को जीओ, सारे स्वरों को जीओ कुछ भी निषेध नहीं करना है जो भी परमात्मा का है, शुभ है जो भी उसने दिया है, अर्थपूर्ण है उसमें से किसी भी चीज का इनकार करना, परमात्मा का ही इनकार है, नास्तिकता है और…
-
એ વાત – શૈલા પંડિત
૨૩. હે ઈશ્વર, એ વાત હું સારી પેઠે સમજ્યો છું કે -એ જ મા પોતાના વહાલસોયા બાળકને કડવાં ઓસડ કચડીને પાય છે, જેથી તેનું સંતાન તંદુરસ્ત ને ખુશખુશાલ રહે. . -એ જ હળ જમીન પર ઉઝરડા પાડે છે, જેથી તેમાંથી દાણાદાર પાક ઊતરે. . -એ જ સર્જન પોતાના દરદીના પેટ પર છરી ફેરવી તે ચીરે…
-
વન્દે માતરમ અને વિનંતિ
. ] . वन्दे मातरम्। सुजलां सुफलां मलय़जशीतलाम्, शस्यश्यामलां मातरम्। वन्दे मातरम् ।।१।। . शुभ्रज्योत्स्ना पुलकितयामिनीम्, फुल्लकुसुमित द्रुमदलशोभिनीम्, सुहासिनीं सुमधुरभाषिणीम्, सुखदां वरदां मातरम् । वन्दे मातरम् ।।२।। . सप्तकोटि कण्ठ कल-कल निनाद कराले, द्विसप्तकोटि भुजैर्धृत खरकरवाले, अबला केनो माँ एतो बॉले, बहुबलधारिणीं नमामि तारिणीम्, रिपुदलवारिणीं मातरम्। वन्दे मातरम् ।।३।। . तुमि विद्या तुमि धर्म, तुमि…
-
આજે મારું મન – શૈલા પંડિત
૨૧. આજે મારું મન કડવાશથી ભરાઈ ગયું છે, પ્રભુ ! મેં જે ધાર્યું હતું તે કરતાં સાવ ઊલટું જ બનવા પામ્યું છે. . મારી કલ્પનાય નહોતી તેવા લોકોએ મને નિરાશ કર્યો છે, હતાશ કર્યો છે. મારું મન દુભાયું છે. તેથી કટુતાએ મારા મનનો કબજો લઈ લીધો છે. . એ આઘાત અને વ્યથા જીરવવામાં મને સહાય…
-
મને મારું – શૈલા પંડિત
૧૯. હે ઈશ્વર, મને મારું બાળપણ સાંભરે છે. . ત્યારે હું કોઈ શરતમાં ઊતરતો નહોતો. કારણ ? મારે હારવું નહોતું ! કોઈ હરિફાઈમાં દાખલ થતો નહોતો. કારણ ? મારે જીતવાની મનોમન ખાતરી જોઈતી હતી. . પણ એ મારી કેટલી મોટી ભૂલ હતી ! તે આજે હું સમજી શકું છું. સાથોસાથ, મારી બીજીય સમજ ખીલી છે.…
-
મારી આત્મશ્રદ્ધા – શૈલા પંડિત
૧૭. હે ઈશ્વર, મારી આત્મશ્રદ્ધા ખીલવવામાં સહાય કર. હું સમજું છું કે આત્મશ્રદ્ધા કોઈ બાબત પરત્વે અંધાપો નથી પણ નિશ્ચિત ને ઉચિત જ્ઞાન પ્રત્યેનો પ્રકાશ છે. આત્મશ્રદ્ધા એ ગણ્યાગાંઠ્યા લોકોને નવાજાયેલી દેણ નથી. પણ અથાગ અને ગંભીર પ્રયાસો બાદ સાંપડેલી આમદાની છે. . હે પ્રભુ, એવી પ્રકાશમય આત્મશ્રદ્ધા મારામાં પ્રગટાવી શકે એવા લોકો તરફ વળવાનું…
-
હું સમજું છું કે – શૈલા પંડિત
૧૫. હે ઈશ્વર, હું સમજું છું કે મારે અવનવા ને નવનવા પ્રયોગો કરવા હોય તો અનેક અખતરામાંથી પસાર થવાનું જ છે. . મારી પ્રત્યેક ભૂલ એ મારી કેળવણીનું એક પગથિયું છે, તો મને મારી ભૂલોનો સ્વીકાર કરવાનું, તેમાંથી નવું નવું શીખતાં રહેવાનું, બાદ, નવું નવું ડગલું ભરતાં રહેવાનું બળ આપ. . મારી ગફલતોને કારણે હું…
-
Home