-
પ્રેમ…!!! -એષા દાદાવાળા
પ્રેમ એટલે વોટ્સએપ પર એ ઓનલાઇન હોય ત્યારે હૃદયમાં છે…ક અંદર હાથ નાંખી ધબકારને આંગળીમાં પકડી, પારેવાની જેમ ફફડવું પ્રેમ એટલે ફેસબુક પર પોસ્ટ થયેલું એમનું સ્ટેટસ વાંચતા જ ચશ્માનાં નંબરોનું ઉતરવું… પ્રેમ એટલે એમણે મોકલેલી સ્માઇલીનાં સ્મિતનું મેસેજમાંથી કૂદીને હોઠ પર આવવું પ્રેમ એટલે રોજ રાત્રે એમનું સપનાંમાં આવવું, આંખ ખૂલે એટલે ભાગી જવું…
-
આ કેવો પેંતરો-દિવ્યા સોની “દિવ્યતા”
આ કેવો પેંતરો, એ રચી રહયા છે; હારી ખુદને, મને એ જીતી રહયા છે ! એકમેકમાં એવા સમયભાન ભૂલ્યા, કે દિનરાત, વર્ષો થઈ વીતી રહયા છે ! લાગણી એ જ છે પહેલા જેવી જ; તણાવનું કારણ સમય-સ્થિતિ રહયા છે ! મારી બધી એષણાઓ ટેકવી રાખતા, એમના જ ગોખલા ‘ને ખીંટી રહયા છે ! એકેએક શ્વાસે,…
-
કબીરાઈ-સલીમ શેખ ‘સાલસ’
શબદને પામવા ના કામ લાગે છે ચતુરાઈ, મરમને તાગનારાઓ જ પામે છે કબીરાઈ. તમારો તાજ આલીશન પણ તમને મુબારક હો, અમે તો બાદશાહીમાં ધરી છે આ ફકીરાઈ. વિખેરાઈ ગયો, તો લેશ પણ ના રંજ છે ભગવંત, થયા કણકણ પછી તારી અમે પામ્યા અખિલાઈ. પઢા પોથી, બના પંડિત, ગયા કાશી, ગયા કાબા, છતાં આ પ્રેમ નામે…
-
નિહાળીને-સાહિલ
નિહાળીને ધસમસતો પ્રવાહ પહેલાં તો હું થથરી ગયો, પછી સાતે સાગર હું તમારું નામ લઈને તરી ગયો. હવે મારા લોહીનાં બુંદ બુંદ બરફના રાજકુમાર છે, જે ધૂણો ધધખતો હતો ભીતર એ તો ક્યારનોય ઠરી ગયો. કોઈ દોષ દર્પણોનો નથી-એ બિચારાનો નથી વાંક કંઈ, હતો મારો ખુદનો ચહેરો એ-જે નિહાળીને હું ડરી ગયો. જે તૂફાન સામે…
-
દર્શન…(એક નઝમ)-વીરુ પુરોહિત
કોઈ નિર્મળ, યશસ્વી રાજવી નિશા વેળા, નગરચર્ચાનાં રહસ્યોથી ખિન્નતા ધારે ! હું સતત મૌનની ચાદર લપેટી ઘૂમું છું; ના રહી દ્રશ્ય કે અદ્ર્શ્ય ભિન્નતા મારે ! સમગ્ર શહેરના ગવાક્ષો ! તમે કંઈ તો કહો; કઈ તરફ તાનસેની રાગના આલાપ વહે ? કઈ તરફ સ્તબ્ધતા ધારી ઊભા છે મૃગવૃંદો ? કઈ તરફ પથ્થરો, કહો ને, પીગળીને…
-
રહ્યો છું-દિનેશ ડોંગરે
બનાવોની વચ્ચે સફરમાં રહ્યો છું, હું મંજિલને છોડી ડગરમાં રહ્યો છું. જીવન આખું એવું વિવાદીત રહ્યું કે, નિરંતર જગતની નજરમાં રહ્યો છું. બધાને જ આશ્ચર્ય એ વાતનું છે, અખંડ કૈ રીતે કાચઘરમાં રહ્યો છું ? એ માણસને રોગી નહીં તો કહું શું ? સ્વયં જે કબૂલે કે ડરમાં રહ્યો છું. કદી આંખથી એના પીધી હતી…
-
અનંત રાઠોડ
શ્રી અનંત રાઠોડનો જન્મ ૧૨ ડીસેમ્બર ૧૯૯૩ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં થયો હતો. માતા: હંસાબહેન, પિતા: શૈલેષભાઈ. તેઓ બે વર્ષની ઉંમરના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું. મૂળ વતન ઈડર તાલુકાનું ભૂતિયા ગામ. ધોરણ ૧ અને ૨ સુધીનું શિક્ષણ ભૂતિયા ગામની પ્રાથમિક શાળામાંથી લીધું. ત્યારબાદ હિંમતનગરની શ્રી હિંમત હાઈસ્કૂલમાં દાખલ થયા અને ૨૦૧૧માં ધોરણ ૧૨…
-
ડો. ગોરા ત્રિવેદી
પ્રો. ડૉ. ગોરા એન ત્રિવેદી રાજકોટ-ગુજરાત-ભારતના એક શિક્ષક-કેળવણીકાર, લેખક અને સામાજીક કાર્યકર્તા છે. તેઓ પોતાની ‘રાષ્ટ્રને પ્રાથમિકતા’ ‘નેશન ફર્સ્ટ’ વિચારસરણીથી વિશેષ જાણીતા છે. તેમણે માનવ અધિકાર વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી કરેલ છે અને હાલ કાયદાના વ્યાખ્યાતા તરીકે કાર્યરત છે. શરૂઆતનું જીવન ડો. ગોરાનો જન્મ ૨૩ એપ્રિલ ૧૯૭૯ના રોજ ભાવનગર-ગુજરાતમાં થયો હતો (પિતા : શ્રી…
-
વર્ષોને વાપરે છે-તુષાર શુક્લ
કેટલાંક વર્ષોને વાપરે છે કેટલાંકને વર્ષો વાપરે છે. કેટલાંક વર્ષોને ધનની પેઠે સાચવી સાચવીને ખરચવા મથે છે. એક એક પળનો હિસાબ માંડે છે. કોઈક વળી છૂટે હાથે ઉડાવે છે. મજા એ છે કે, કોઈને ય ક્યાં ખબર છે કે મૂડી કેટલી છે ? બેલેન્સમાં શું છે ? સિલક શું વધી છે ? એકને ઘટી જવાની…
-
હવે તો-તુષાર શુક્લ
હવે તો મોટાં થયાં! હવે શેની ઉજવણી? ઘરડાં થયાં, હવે તો! આવા ઉદ્દગાર પાછળ વેડફેલા વર્ષોની વ્યથા જ હોય છે. આજને કાલ પર છોડનારાને મહાકાલ છોડતો નથી. પ્રત્યેક વર્ષ પ્રત્યેક માસ પ્રત્યેક સપ્તાહ પ્રત્યેક દિવસ પ્રત્યેક પળ… આપણને અવસર આપે છે જીવનને આનંદવાનો. માત્ર આપણી તૈયારી જોઈએ-જીવવાની. તત્પરતા જોઈએ-માણવાની. સજ્જતા જોઈએ-સ્વીકારવાની. વર્ષગાંઠ એ તો પૂર્ણત્વની…
-
Home