-
નિહાળીને-સાહિલ
નિહાળીને ધસમસતો પ્રવાહ પહેલાં તો હું થથરી ગયો, પછી સાતે સાગર હું તમારું નામ લઈને તરી ગયો. હવે મારા લોહીનાં બુંદ બુંદ બરફના રાજકુમાર છે, જે ધૂણો ધધખતો હતો ભીતર એ તો ક્યારનોય ઠરી ગયો. કોઈ દોષ દર્પણોનો નથી-એ બિચારાનો નથી વાંક કંઈ, હતો મારો ખુદનો ચહેરો એ-જે નિહાળીને હું ડરી ગયો. જે તૂફાન સામે…
-
દર્શન…(એક નઝમ)-વીરુ પુરોહિત
કોઈ નિર્મળ, યશસ્વી રાજવી નિશા વેળા, નગરચર્ચાનાં રહસ્યોથી ખિન્નતા ધારે ! હું સતત મૌનની ચાદર લપેટી ઘૂમું છું; ના રહી દ્રશ્ય કે અદ્ર્શ્ય ભિન્નતા મારે ! સમગ્ર શહેરના ગવાક્ષો ! તમે કંઈ તો કહો; કઈ તરફ તાનસેની રાગના આલાપ વહે ? કઈ તરફ સ્તબ્ધતા ધારી ઊભા છે મૃગવૃંદો ? કઈ તરફ પથ્થરો, કહો ને, પીગળીને…
-
રહ્યો છું-દિનેશ ડોંગરે
બનાવોની વચ્ચે સફરમાં રહ્યો છું, હું મંજિલને છોડી ડગરમાં રહ્યો છું. જીવન આખું એવું વિવાદીત રહ્યું કે, નિરંતર જગતની નજરમાં રહ્યો છું. બધાને જ આશ્ચર્ય એ વાતનું છે, અખંડ કૈ રીતે કાચઘરમાં રહ્યો છું ? એ માણસને રોગી નહીં તો કહું શું ? સ્વયં જે કબૂલે કે ડરમાં રહ્યો છું. કદી આંખથી એના પીધી હતી…
-
અનંત રાઠોડ
શ્રી અનંત રાઠોડનો જન્મ ૧૨ ડીસેમ્બર ૧૯૯૩ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં થયો હતો. માતા: હંસાબહેન, પિતા: શૈલેષભાઈ. તેઓ બે વર્ષની ઉંમરના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું. મૂળ વતન ઈડર તાલુકાનું ભૂતિયા ગામ. ધોરણ ૧ અને ૨ સુધીનું શિક્ષણ ભૂતિયા ગામની પ્રાથમિક શાળામાંથી લીધું. ત્યારબાદ હિંમતનગરની શ્રી હિંમત હાઈસ્કૂલમાં દાખલ થયા અને ૨૦૧૧માં ધોરણ ૧૨…
-
ડો. ગોરા ત્રિવેદી
પ્રો. ડૉ. ગોરા એન ત્રિવેદી રાજકોટ-ગુજરાત-ભારતના એક શિક્ષક-કેળવણીકાર, લેખક અને સામાજીક કાર્યકર્તા છે. તેઓ પોતાની ‘રાષ્ટ્રને પ્રાથમિકતા’ ‘નેશન ફર્સ્ટ’ વિચારસરણીથી વિશેષ જાણીતા છે. તેમણે માનવ અધિકાર વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી કરેલ છે અને હાલ કાયદાના વ્યાખ્યાતા તરીકે કાર્યરત છે. શરૂઆતનું જીવન ડો. ગોરાનો જન્મ ૨૩ એપ્રિલ ૧૯૭૯ના રોજ ભાવનગર-ગુજરાતમાં થયો હતો (પિતા : શ્રી…
-
વર્ષોને વાપરે છે-તુષાર શુક્લ
કેટલાંક વર્ષોને વાપરે છે કેટલાંકને વર્ષો વાપરે છે. કેટલાંક વર્ષોને ધનની પેઠે સાચવી સાચવીને ખરચવા મથે છે. એક એક પળનો હિસાબ માંડે છે. કોઈક વળી છૂટે હાથે ઉડાવે છે. મજા એ છે કે, કોઈને ય ક્યાં ખબર છે કે મૂડી કેટલી છે ? બેલેન્સમાં શું છે ? સિલક શું વધી છે ? એકને ઘટી જવાની…
-
હવે તો-તુષાર શુક્લ
હવે તો મોટાં થયાં! હવે શેની ઉજવણી? ઘરડાં થયાં, હવે તો! આવા ઉદ્દગાર પાછળ વેડફેલા વર્ષોની વ્યથા જ હોય છે. આજને કાલ પર છોડનારાને મહાકાલ છોડતો નથી. પ્રત્યેક વર્ષ પ્રત્યેક માસ પ્રત્યેક સપ્તાહ પ્રત્યેક દિવસ પ્રત્યેક પળ… આપણને અવસર આપે છે જીવનને આનંદવાનો. માત્ર આપણી તૈયારી જોઈએ-જીવવાની. તત્પરતા જોઈએ-માણવાની. સજ્જતા જોઈએ-સ્વીકારવાની. વર્ષગાંઠ એ તો પૂર્ણત્વની…
-
એક ચકલીને ધૂળમાં નહાવું છે-કનૈયાલાલ ભટ્ટ
એક ચકલીને ધૂળમાં નહાવું છે. ચોમાસુંય વાટ જોઈ બેઠું છે ડેલીએ વૃક્ષોએ જળથી ભીંજાવું છે. એક ચકલીને ધૂળમાં નહાવું છે. ધૂળનીઢગલીઓ શોધી શોધીને ચકલીનેય ચડી ગયો શ્વાસ ધરતીની ધૂળને ઝાડ પાન છાંયો ને ક્યાંક ને લીલો અજવાસ નદીયુંનાં નીર ફરી વહેતાં જો થાય તો કૂંપળનેય ઝાડવું થાવું છે. એક ચકલીને ધૂળમાં નહાવું છે. વાદળાંઓ શોધે…
-
શું કરું-માધવ આસ્તિક
શું કરું હું સર્વ કિસ્સા સંઘરીને ? ખાલીપો માણી શકું જો મનભરીને. મૌનની સામે થયો’તો એ પછીથી, હર્ફ પણ ઉચ્ચારું છું હું થરથરીને. જો વહેવું આવડે તો પાર દરિયા, ક્યાં કશે પહોંચી શકાયું છે તરીને! આંગળી બદલે પહોંચો ચાલશે પણ, હસ્તરેખામાં જ બેઠા ઘર કરીને? એક પરપોટાને કાપી નાખવો છે, એ જ સપનું રોજ આવે…
-
હું વારતાઓ પાસે જતો-બાબુ સુથાર
ત્યારે હું છોકરાં મામાને ત્યાં જાય એમ વારતાઓ પાસે જતો હું કીડીને પૂંઠે પૂંઠે શિકારી પાસે જતો ને તીરને આમ ને કબૂતરને તેમ જતાં નિહાળતો. હું કાગડાને કૂંજામાં કાંકરા નાખવા લાગતો હું સતને ત્રાજવે તોળતી પેલી બિલાડીની પૂંછડીને પણ તાકી રહેતો હું પેલા રાજાને પણ જોતો જે ઝાડ ઓથે સંતાઈને રસ્તા વચ્ચેનો પથ્થર કોણ ઉપાડે…
-
Home