Home

  • મેં જોયાં નથી-બાબુ સુથાર

    મેં જોયાં નથી કોઈ યુદ્ધ કે જોઈ નથી કોઈ તોપો મારી ગલીમાં કે મારા ગામમાં કે મેં નથી જોયા સૈનિકો માથે લોઢાનો ટોપો મૂકીને લેફ્ટ કરતા કે રાઈટ કરતા. મેં જોયા છે મારા બાપાને ખભે વાંસલો મૂકીને કામે જતા, મેં જોઈ છે મારી માને ખભે દાતરડું ભેરવીને ખેતરે જતી, મેં જોયો છે નાથિયા વાણિયાને ભાગળેથી…

  • “એ મારી સામે આવે તો…!!”-( રાધિકા પટેલ )

    એ મારી સામે આવે તો; પ્રથમ તો, એનો કાખલો પકડી, પેટ પર જોરથી એક લાત મારી નીચે પાડી દઉં…! પછી, એની છાતી પર ચડી- એના ગાલ પર થપાટો માર્યા જ કરું…માર્યા જ કરું… લોહીની ટશરો ના ફૂટે ત્યાં સુધી…! હાથ-પગ કાપીને નીરી દઉં- ભૂખ્યા વરુને…! “લબ…લબ…” કરતી એની જીભ તે જ તલવારથી કાપી- દાટી દઉં…

  • ગઝલ કહેવી નથી મારે-બાબુલાલ ચાવડા ‘આતુર’

    ભલે દુનિયાથી હો રંજિશ, ગઝલ કહેવી નથી મારે, ન હો તારી જો ફરમાઈશ, ગઝલ કહેવી નથી મારે. નુમાઈશ કાલ જે કરતા હતા મારી જમાનામાં, લગાવી ક્યાં ગયા આતિશ? ગઝલ કહેવી નથી મારે. નિહાળીને બુલંદી પર તને બસ એ જ કહેવું છે, ‘સમયની હો ન આ સાજિશ’, ગઝલ કહેવી નથી મારે. રદીફોકાફિયા ક્યાં ? ક્યાં વજન…

  • છોડી દીધું-બાબુલાલ ચાવડા ‘આતુર’

    મેં હવે તારા વિચારોનું ગગન છોડી દીધું, કૈંક વરસોનું દિશાહીન ઉડ્ડયન છોડી દીધું. એક ચમચી યાદ તારી આંખ મીંચી પી ગયો, ને પછી પહેલા પુરુષનું એકવચન છોડી દીધું. એમને ફુરસદ નથી કે મારા જખ્મોને ગણે, વ્યસ્ત લેખનમાં થયા વાચન-ગણન છોડી દીધું. આજ હું મારા જ પડછાયાના છાંયે સૂઈ ગયો, ને બધાને એમ લાગ્યું કે શ્વસન…

  • કેમ જીરવાશે ?-બાબુલાલ ચાવડા ‘આતુર’

    હૃદયની રાંગ પર દેમાર લશ્કર કેમ જીરવાશે ? શબદનાં શર કલેજે હે મુનિવર કેમ જીરવાશે ? કમળના પાંદડે ઝાકળના અક્ષર કેમ જીરવાશે ? તિમિરની પીઠમાં સૂરજનાં ખંજર કેમ જીરવાશે ? ઉતરડીને ત્વચા હું વલ્કલો ધારણ કરી લઉં પણ, જડેલા વૃક્ષ પર સ્મૃતિઓનાં બખ્તર કેમ જીરવાશે ? પીડાના દ્વીપ વિસ્તરતા જશે જો આમ, દ્વૈપાયન ? પછી…

  • માણસ છું-બાબુલાલ ચાવડા ‘આતુર’

    ચમકે ના ચમકે એવા ચાંદરણા જેવો માણસ છું, ડૂબતો માણસ ઝાલે છે એ તરણા જેવો માણસ છું. કોઇ શિકારી રાજી ક્યાં છે તીર પોતાનું વેડફવા? કસ્તૂરીને ખોઇ ચૂકેલા હરણા જેવો માણસ છું. માંડ રળે છે કોઇ પેટિયું ફૂટપાથે ફેલાવીને, જર્જર, મેલા-ઘેલા એ પાથરણા જેવો માણસ છું. જે દરિયાને મળી નથી એ નદીની પીડા જાણું છું,…

  • ઓ સાથી!-બાબુલાલ ચાવડા ‘આતુર’

    નરી આંખે નિહાળી છે, કૃપા પ્રગટી છે, ઓ સાથી! ગગનના ગોખમાં ઝળહળ ઋચા પ્રગટી છે, ઓ સાથી! રુંવાડાભેર આ હોવાપણું શ્લોકત્વ પામ્યું છે, અતિશય આર્તનાદે વેદના પ્રગટી છે, ઓ સાથી! ડચૂરો કંઠનો કેવો તરંગિત લય બન્યો છે જો! ગઝલના વેશમાં આદિમ તૃષા પ્રગટી છે, ઓ સાથી! અહો, ઊમટ્યાં છે કંઈ ગંધર્વ ને કિન્નરનાં ટોળાંઓ, અજાણ્યાં…

  • કેટલાક વળી-તુષાર શુક્લ

    કેટલાક વળી વર્ષગાંઠે ઉદાસ બની જાય છે વિચારે છે કે એક વર્ષ ઓછું થયું… વિચારી તો એમ પણ શકાય ને કે એક વર્ષ વધ્યું?! પ્યાલો અરધો ખાલી ય છે. પ્યાલો અરધો ભરલો ય છે. બંને સત્ય છે! સવાલ સમજણનો છે. દ્રષ્ટિનો છે. જે જીવનને માણે છે એ વધઘટના હિસાબમાં નથી અટવાતા. જે વર્ષોને વેડફે છે…

  • વર્ષગાંઠે-તુષાર શુક્લ

    વર્ષગાંઠે એક વધુ વર્ષ બંધાય છે, અનુસંધાય છે જીવન સાથે. આ નવા વર્ષનું આગમન આનંદદાયી તો જ બને જો વીતેલા વર્ષોની ગાંઠોનો ભાર પીડા ન બને. વળી એક વર્ષ…વળી એક ગાંઠ… આવો ભાવ મનમાં હોય તો ન જ ઉજવાય વર્ષગાંઠ. વર્ષગાંઠ બંધન નહિ, અનુસંધાન બની રહે જીવનનું તો જ ગમે ગાંઠને ઉજવવાનું. ( તુષાર શુક્લ…

  • કુશળ પતંગબાજ-તુષાર શુક્લ

    કુશળ પતંગબાજ પોતાના પતંગને અનુકૂળ દોરી રાખે છે. એ એમાં ઝોલ પડવા નથી દેતા. અનાવશ્યક અજાણ દોરના લપટાવાથી પોતાની દોરને ઝૂમઝૂમ થવા નથી દેતા. એ પતંગના ઉડ્ડયનને અનુરૂપ દોર રાખે છે. એમની કુશળતા કદી ય અગાશી પર દોરીનો ઢગલો થવા દેતી નથી. એમના આ કૌશલને સાથ મળે છે સજ્જ ફિરકીધારકનો. ફિરકી પકડનાર પતંગ ઉડાડતા નથી,…

  • Home