Home

  • નમસ્તસ્યૈ નમો નમ: (૭)

    ૭ . હે, મા ! તાંતણે તાંતણો ગુંથાય ત્યારે જેમ વસ્ત્ર તૈયાર થાય છે તેમ જન્મ અને મૃત્યુના છેડાને ગાઢ રીતે બાંધતો જીવનરૂપી તાંતણો કેટલા તાણાવાણાથી અદ્દભુત રીતે ગુંથાયો છે એની કલ્પના કરીએ છીએ ત્યારે તારી લીલા નિહાળીને અમારું મસ્તક તારાં ચરણોમાં ઢળી પડે છે. . જીવન સુંદર છે કેમ કે તારું સર્જન છે. પણ…

  • નમસ્તસ્યૈ નમો નમ:(૬)

    ૬ . હે, મા ! આ સંસાર માયા છે, આ સંબંધો બધા જૂઠ્ઠા છે, સાથે કંઈ આવવાનું નથી….આવું બધું બોલીને પણ અમે એને જ પકડી રાખીએ છીએ. કોઈને સલાહ આપનાર અમને જ્યારે કોઈ સલાહ આપે છે ત્યારે અમે ધૂંઆપૂંઆ થઈ જઈએ છીએ. સ્વીકાર ભાવના અમારામાંથી લુપ્ત થઈ ગઈ છે. અમારી તમામ ઈન્દ્રિયો અને ચેતના મલિન…

  • નમસ્તસ્યૈ નમો નમ:(૫)

    ૫ . હે, મા ! જન્મ પછી મૃત્યુ અને ફરી જન્મની ઘટમાળ ન જાણે ક્યાં સુધી ફર્યા કરશે અને જીવને એમાં ફેરવ્યા કરશે. મા, અમે મુક્તિની આશાએ જન્મ મેળવ્યો અને હવે આશા અને એષણાઓમાં એવાં અટવાયાં છીએ કે મુક્તિનો માર્ગ અમે વિસરી ગયાં છીએ ભટકી ગયાં છીએ. . હા, અમારું જીવન કુદરત સાથે કરાર કરી…

  • નમસ્તસ્યૈ નમો નમ: (૪)

    ૪ . હે, મા ! જીવનમાં ઘટતી ઘટનાઓને સમજવાની અમારી અજ્ઞાનતા અમારા સુખ કે દુ:ખમાં સતત વધારો કર્યા કરે છે. દરેક ઘટના પાછળ ચોક્ક્સ કોઈ રહસ્ય હોય છે પણ અમે એને યથાર્થ રીતે સમજી શકતાં ન હોઈ સુખી કે દુ:ખી થઈએ છીએ. . કોઈનો જન્મ અમને આનંદ અર્પે છે તો કોઈનું મૃત્યુ અમને વિવશ બનાવી…

  • નમસ્તસ્યૈ નમો નમ: (૩)

    3 . હે, મા! અમારી આંખો અને કાન ખૂલ્લાં છે છતાંય અમને દેખાતું કે સંભળાતું કેમ નથી ? અમે જોવાનો અને સાંભળવાનો ડોળ તો જરૂરથી કરીએ છીએ પણ જે ખરેખર જોવાનું અને સાંભળવાનું છે એ તો અમે જોતાં કે સાંભળતાં જ નથી. . સવારે ઉઠીએ ત્યારે ઉષાને નિહાળવાનું તો ચૂકી જ જવાય છે. સૂર્યોદય એ…

  • નમસ્તસ્યૈ નમો નમ: (૨)

    ૨ . હે, મા ! જીવનમાં ન યાદ રાખવાનું અમે યાદ રાખીએ છીએ અને તારા અનેક ઉપકારોને ભૂલી જઈએ છીએ. ઘણી વખત સત્ય અસત્ય લાગે છે તો અસત્ય સત્ય ભાસે છે. ભ્રમિત થયેલાં અમે ઘણી વખત તારો અપરાધ પણ કરી બેસીએ છીએ. છતાં પણ તું ક્યારેય અમારા પર અપકાર કરતી નથી. . તારો ક્રોધ પણ…

  • નમસ્તસ્યૈ નમો નમ: (૧)

    આજથી શરુ થતી નવરાત્રિ “મા”ની આરાધના, ભક્તિ અને અનુષ્ઠાન કરવાના દિવસો છે. તંત્રોક્ત દેવીસુક્તના ઘણાં શ્લોકો પર “મન્નીમા”એ પોતાના સહજ ભાવોદ્દગારને વાણીના પુષ્પોમાં ગૂંથીને એક એક શ્લોકસુમનને જગતજનની મા અંબાના ચરણોમાં અર્પણ કર્યા છે. જે “નમસ્તસ્યૈ નમો નમ:” નામના પુસ્તક રૂપે પ્રકાશિત થયા હતા. આ પુસ્તકના પ્રથમ નવ લેખો નવરાત્રિના નવ દિવસ દરમ્યાન માણીશું. આ…

  • આયના ફૂટ્યા

    કોઈ મારું ન થયું કોઈ સંબંધો ન તૂટ્યાં, ડાળખી સાવ લીલી રહી અને પર્ણો ન ફૂટ્યાં. . કોઈ ગોફણના જાણે હોઈએ અમે પથ્થર, ક્ષણોના હાથમાંથી રોજ એ રીતે છૂટ્યાં. . લો આવજો મલશું સ્મરણના મેળામાં, એક તો દૂરનાં સગપણ અને અંજળ જ્યાં ખૂટ્યાં. . ખબર ન રહી કે આરપાર જઉં છું વીંધાતો, ફૂલ આવેશમાં આવીને…

  • ક્યાં હોય છે

    આ અમરફળને અડકવાની તલપ ક્યાં હોય છે આપણી જિજીવિષા એવી પ્રબળ ક્યાં હોય છે . મેં રમતમાં ને રમતમાં શબ્દ ઉછાળ્યો હતો શોધવા નીકળી પડ્યો પણ જળકમળ ક્યાં હોય છે . જળમાં ઊંડે જઈને બસ એટલું જાણી શક્યા માછલીને મન કશુંયે તળ અતળ ક્યાં હોય છે . પોતપોતાની પરકમા લઈને સહુ ઘૂમ્યા કરે બેસવું ધૂણી…

  • રાબેતા મુજબ થાય છે

    નાની અમથી વાતમાં સરહદ ચણાતી જાય છે બાકીનું બધું રાબેતા મુજબ થાય છે . જાળ નજરોની બહુ લાંબે સુધી ફેલાય છે બાકીનું બધું રાબેતા મુજબ થાય છે . શાંત પાણીમાંય હોડી ધમપછાડા ખાય છે બાકીનું બધું રાબેતા મુજબ થાય છે . હર ક્ષણે પંખીની ખાલી આંખ ક્યાં વીંધાય છે ! બાકીનું બધું રાબેતા મુજબ થાય…

  • Home