Home

  • લઘુકાવ્યો

    ૧. તારી સાથેની પ્રત્યેક પળ પ્રથમ હોય છે અંતિમ પણ હોઈ શકે મારા શ્વાસની અધીરતા હોય છે તારા સ્પર્શમાં પણ. ( સોનલ પરીખ ) ૨. આકાશમાં વાદળ ઘેરાય મને યાદ આવે પ્રેમની અનેક કથાઓ ….અને હું માથું મૂકું આ ભીની હવાના ખભે ( સોનલ પરીખ ) ૩. અવઢવ વરસાદમાં દાઝેલાને શાનો લેપ લગાવવો ? એની…

  • ભીતરની વાત-મહેન્દ્ર આર્ય

    એવું કેટલુંય છે જે હું લખી નથી શક્યો… એવું કેટલુંય છે જે હું બોલી નથી શક્યો… પરંતુ એ બધાયની મારી ભીતરની ભાષાની તને તો ખબર છે જ… કારણ કે તું અંતર્યામી છે… અને તને તો મેં જાણ્યે-અજાણ્યે બધું જ કહ્યું છે ને…? ( મહેન્દ્ર આર્ય )

  • રાખ્યો છે-સાહિલ

    ક્યાં મને પારોપાર રાખ્યો છે, ઉમ્રભર ઠારોઠાર રાખ્યો છે. બાતમીદાર છું-તમારો હું, તોય કાં બારોબાર રાખ્યો છે. કોઈ બાજુ જરા ખસી ન શકું, એટલો ધારોધાર રાખ્યો છે. ફૂલ સમ મ્હેંકતાં શબદમાં પણ, ભાર શું ભારોભાર રાખ્યો છે. ના તૂટું એમ ના શકું વાગી, એમ તેં તારોતાર રાખ્યો છે. તેં ખુદા છીનવી ચરણ મારા, ચોતરફ મારોમાર…

  • બ્રેકફાસ્ટ-જેક્સ પ્રિવર્ટ

    કપમાં એ કૉફી રેડે છે કૉફીના કપમાં રેડે છે દૂધ દુધાળી કોફીમાં એ નાખે છે ખાંડ નાનકડી ચમચીથી એ હલાવે છે એકરસ બનાવે છે દુધાળી કૉફી પી જાય છે અને કપને મૂકે છે. એક પણ શબ્દ મને કહ્યા વિના સિગારેટ સળગાવે છે ધુમાડાનાં વર્તુળો બનાવે છે એશ-ટ્રેમાં રાખ ખંખેરે છે. એક પણ શબ્દ મને કહ્યા…

  • તમારી બોલબાલા છે-મીરા આસીફ

    મજાનું ગીત સંભળાવો તમારી બોલબાલા છે, અધર પર સ્મિત મલકાવો તમારી બોલબાલા છે. હવાની સેજ પણ પૂછે તમારું નામ સરનામું, સુગંધી ઝુલ્ફ લહેરાવો તમારી બોલબાલા છે. તમારા ઘર સુધી આવી હંમેશાં જાઉં છું પાછો, મને કાયમ ન શરમાવો તમારી બોલબાલા છે. અમારી જિંદગી લાગે અમોને પાનખર જેવી, ગુલે ગુલઝાર થઈ આવો તમારી બોલબાલા છે. ગઝલ…

  • નીકળી જવું સારું-દિનેશ ડોંગરે “નાદાન”

    ઉદાસીના કળણમાંથી હવે નીકળી જવું સારું, અને આ વાતાવરણમાંથી હવે નીકળી જવું સારું. અનાવૃત્ત થૈ જવાનો પણ અનોખો હોય છે મહિમા, બધાયે આવરણમાંથી હવે નીકળી જવું સારું. નજરમાં ઊંઘ ને સપનાં સલામત રાખીને મિત્રો, નિરંતર જાગરણમાંથી હવે નીકળી જવું સારું. ન હો આદરભરી દ્રષ્ટિ કે મનમાં લાગણી જેવું, ચલો એના સ્મરણમાંથી હવે નીકળી જવું સારું.…

  • સજનવા-ડો. પરેશ સોલંકી

    અંતમાં સરભર સજનવા, છે મેલી ચાદર સજનવા. પીડ નરસિંહ કે મીરાની, દુ:ખતો અવસર સજનવા. પ્રેમરસ સાચો પદારથ, પી લે જીવનભર સજનવા. મોહની વણજાર માયા, સ્વપ્નની હરફર સજનવા. નાદ તારો શોધ મનવા, ભીતરે ઈશ્વર સજનવા. કયા જનમનો નેહ અધૂરો, કાયા છે કસ્તર સજનવા. જ્ઞાન આતમનો મનોરથ, માયલે ઝરમર સજનવા. ( ડો. પરેશ સોલંકી )

  • ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

    ઉપાય એક્કે સૂઝે નહીં, જો સમય બને છે ક્રૂર ! ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર ! શ્યામ ગયા છે તે દહાડાથી નથી આંજતાં કાજળ; આમે ય બારેમાસ અહીં ઘેરાતાં રે છે વાદળ ! ડંખી ભ્રમરે કરી ચાળણી જેમ કમળ-પાંખડીઓ; ઝમી રહી છે ગોપીની બહુ-છિદ્રાળુ આંખડીઓ ! નથી સમાતું બે પાંપણની વચ્ચે…

  • ઉદ્ધવગીત-વીરુ પુરોહિત

    બહુ મોડે સમજાયું, ઉદ્ધવ ! જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય ?! સીંચણિયાથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય ! ગગન સ્પર્શવા અમે વેલીઓ વૃક્ષ ઉપર જઈ ચડ્યાં; હતું બટકણું વૃક્ષ એટલે કડડભૂસ થઈ પડ્યાં ? લાભ થાય શું, ઝોળી લૈને સૂર્યકિરણ ભરવાથી ? માટીની પૂતળી થઈને શું મળે નદી તરવાથી ? બહુ મોડે સમજાયું,…

  • ક્યાં છે તું-નીતા રામૈયા

    ક્યાં છે તું કહીને એ વળગ્યો એનો શ્વાસ મારા ગાલે એની આંગળી એના હાથ કશું જ નહીં સાંભળવાના મિજાજમાં એ મને આટલી હદનું ઝંખે હું એને આટલું આટલું ઝંખું જે કંઈ તૂટ્યું-ફૂટ્યું તેને સાંધી દેતું સડ્યું-મર્યું તેને વીસરાવી દેતું આપણું સાંનિધ્ય આ બધું કેટલાય દિવસે પહેલી વાર ધરતીકંપની તારાજી પછી. ( નીતા રામૈયા )

  • Home