Home

  • હરદ્વાર ગોસ્વામી

    ગઝલકાર હરદ્વાર ગોસ્વામીનો જન્મ નરસિંહ મહેતાની ભૂમી તળાજામાં 18 જુલાઈ 1976 ના રોજ થયો હતો. (પિતા: મનરૂપગીરી ગોસ્વામી, માતા: ચારુલતાબેન ગોસ્વામી). તેમણે પ્રાથમિક શિક્ષણ તળાજા પ્રાથમિક શાળામાંથી 1992માં પૂર્ણ કર્યું. ધોરણ 10 અને 12નો અભ્યાસ એમ. જે દોશી હાઈસ્કૂલ, તળાજામાંથી 1995માં પૂર્ણ કર્યો. 1998માં તેમણે શામળદાસ આર્ટસ્ કૉલેજ, ભાવનગર ખાતેથી B.A ની ડિગ્રી જ્યારે 2000માં…

  • સ્ત્રી-પ્રીતમ લખલાણી

    ૧. પ્રિયતમામાંથી પત્ની થવા સ્ત્રી આખું આયખું લાગણીના કિચનમાં અને સંબંધોના લિવિંગરૂમમાં ખર્ચી નાખે છે ! ૨. બિચારી સ્ત્રીએ જીવનના પ્રત્યેક તબક્કે ઘરના ઉંબરનો ખ્યાલ કરવો પડે છે ! ૩. ફળફૂલથી લચી પડેલી ડાળથી, પાંખ ફૂટતાં જ માળેથી ઊડી ગયેલાં પંખીની, પાનખરમાં રાહ જોતાં વૃક્ષની પીડાને જો આપણે સમજી શકીએ તો, સ્ત્રીની જીવનવ્યથાને સમજી શકીએ…

  • મારે ટેરવે-આબિદ ભટ્ટ

    સ્પર્શનો અભ્યાસ મારે ટેરવે, શબ્દનો વિન્યાસ મારે ટેરવે. સો અષાઢો સામટા વરસી જજે, સાત રણની પ્યાસ મારે ટેરવે ! મેંશ આંજી સૂર્ય આંખે એટલે, છે જરા કાળાશ મારે ટેરવે. ચિત્ત ચગડોળે ચડે તો પૂછતે, છે સકળનો ક્યાસ મારે ટેરવે ! ઝંખના તારી જ છે આઠે પ્રહર, શ્વાસનો વિશ્વાસ મારે ટેરવે ! ભીતરે છે આગ એની…

  • વાવ-પ્રીતમ લખલાણી

    ૧. પાંખ ફફડાવતાં પારેવડાં કાજે વાવ છે, માળા જેવી ! ૨. પવનસ્પર્શે, સંકોચાતા જળે, હલબલી ઊઠે રાત્રે વાવની ગોદમાં પોઢેલાં તારાઓ ! ૩. લઈ થોડોક તડકો વાવ, પનિહારીને બદલામાં આપે છે બેડું એક જળ ! ૪. કાળાં ડિબાંગ ખેતરને લીલુંછમ જોવા ઊલેચાઈ ગઈ વાવ હવે, ખુશીમાં છલકાય ! ૫. એક દિવસ મેં દરિયાને પૂછ્યું :…

  • એષા દાદાવાળા

    સુરતના વતની એવા કવયિત્રી એષા દાદાવાળાનો જન્મ 2 જાન્યુઆરી 1985 ના રોજ સુરતમાં થયો હતો. (પિતા: મયંક દાદાવાળા, માતા: હેતલ દાદાવાળા) તેમણે શાળાનું શિક્ષણ જીવનભારતી સ્કુલ, સુરત ખાતેથી 2002માં પૂર્ણ કર્યું. ત્યાર બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાંથી 2005માં B.A ની ડિગ્રી મેળવી. તેમણે પોતાની પહેલી કવિતા ‘ડેથ સર્ટિફિકેટ’ ધોરણ ૧૧ (2001) માં લખેલી અને…

  • થઈ જાએ-મરીઝ

    કોઈ એ રીતે મહોબ્બતનો વિજય થઈ જાએ, જ્યારે ચાહું તને મળવાનો સમય થઈ જાએ. લાગણી, દર્દ, મહોબ્બત ને અધૂરી આશા, એક જગા પર જો જમા થાય હૃદય થઈ જાએ. આંખથી આંખ મળી ગઈ છે સભર મહેફિલમાં, સ્મિત જો એમાં ભળી જાય, પ્રણય થઈ જાએ. મળે આંખોથી આંખો, ને બધો સંવાદ થઈ જાએ, ‘મરીઝ’ એક જ…

  • મોરપીંછું-પ્રીતમ લખલાણી

    ૧. માર્ગમાં ક્યાંય જો તમને મોરપીંછું નજરે ચઢી જાય તો ? સમજજો હવે ગોકુળ નથી બહુ દૂર ! ૨. લ્યો, તમારે રાધાને પત્ર લખવો છે, તો કરો સરનામું C/o. મોરપીંછું ! ૩. જો મોરપીંછને બદલે માથે સોનાનો મુગટ હોત તો ? શું માધવ આટલી નિરાંતે વાંસળીના સૂર છેડી શક્યા હોત ખરા ?! ૪. હોઠમાં તણખલું…

  • મોર-પ્રીતમ લખલાણી

    ૧. રોંઢે ફળિયામાં બે-ચાર પીંછા ખેરવી ઊડી ગયેલ મોર. ઢળતી સાંજે હળવો ફૂલ-ફટાક થઈને બેઠો હોય છે ગામને પાદર મહેકતો થોરની વાડે ! ૨. મોરને કળા કરતો જોવા મારા ફળિયે સાંજ સમયે સુગંધ પણ ઊતરી આવે છે રાતરાણીની ડાળથી ! ૩. સીમના સેઢે વૈશાખની ધોમધખતી બપોરે કુંવારી કન્યાની ચૂંદડી લહેરાઈ જાય સાંભળીને મોરનો ટહુકો !…

  • દર્પણ-પ્રીતમ લખલાણી

    દર્પણ ૧. સોળ વર્ષની કન્યા નજરે ચઢતાંજ આળસ મરડીને ઊઠે દર્પણ ! ૨. રાજમાર્ગે ઊભેલ ગાંધીજીની પ્રતિમાને મેં પૂછ્યું : ‘સ્વતંત્ર ભારતમાં- તમારો સાચો વારસ કોણ ?’ બાપુની પ્રતિમાએ આંગળી ચીંધી પાનવાળાના ગલ્લે દેખાતા દર્પણ તરફ… ૩. અકસ્માતથી નંદવાઈ ગયેલા દર્પણના પ્રત્યેક ટુકડામાં મારો ચહેરો જોઈ હું ચીસ પાડી ઊઠું છું કે મારામાં આટલા બધા…

  • ચિન્મય શાસ્ત્રી

    અમદાવાદના રહેવાસી યુવા કવિ ચિન્મય શાસ્ત્રીનો જન્મ 24 મે 1995ના રોજ બોરીવલી, મુંબઇમાં થયો હતો. (પિતા: તીલક શાસ્ત્રી, માતા: રીટા શાસ્ત્રી). તેમણે ધોરણ- 12 (Commerce) સુધીનો અભ્યાસ અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાંથી 2012માં પુરો કર્યો. ત્યારબાદ 2015માં એન.આર ઈન્સ્ટિટ્યુટ ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન (GLS) અમદાવાદમાંથી B.B.A ની ડિગ્રી મેળવી. હાલ તેઓ આઇ.સી.એફ.એ.આઇ બિઝનેસ સ્કૂલ (IBS) મુંબઇ ખાતે…

  • Home