Home

  • મિલિન્દ ગઢવી

    જૂનાગઢના વતની એવા કવિ, સંચાલક મિલિન્દ ગઢવીનો જન્મ 1 મે 1985 ના રોજ મેંદરડા (જૂનાગઢ)નાં દેત્રાણા ગામમાં થયો હતોં. (પિતા: ડોં ભરત ગઢવી, માતા: ચંદનબહેન ગઢવી). તેમણે શાળાકિય શિક્ષણ રૂપાયતણ (અમરેલી), Good Samaritan English Medium High School (અમરેલી), ગુરુકુળ (સાવરકુંડલા), Carmel Convent High School (જુનાગઢ), Saint Xevier’s High School (જામનગર), Saint Mary’s School (પોરબંદર), સ્વામી…

  • અમે !-કરસનદાસ લુહાર

    લો, અલખના ઓટલે બેસી ચલમ પીધી અમે, ને પળોને ઘેનથી ઘેઘૂર-ઘટ્ટ કીધી અમે. કે, વળાંકો કેટલા આવ્યા હતા વચ્ચે; નકર- ચાલવાને કેડી પકડી’તી સરળ-સીધી અમે. કે, ન’તું મંજૂર જેને ખુશ થવું ક્યારેય પણ; વેદના સઘળીય એની આંચકી લીધી અમે. સ્પષ્ટ ને સહેલાઈની એવી પળોજણમાં પડ્યા; ને સરળતાથી કરી દીધી જટિલ વિધિ અમે. શ્વાસ કરતાંયે વધારે…

  • વકરેલો ઘાવ-હરકિસન જોષી

    લયબદ્ધતા હૃદયની તપાસી લ્યો વૈદ્યજી ! શ્વાસોની ઊંડી ઊંડી તલાસી લ્યો વૈદ્યજી ! ખોટી જગાએ દ્વાર જો ઊઘડી ગયા દિશે; જલદીથી જડી પાટિયાં વાસી લ્યો વૈદ્યજી ! કથળેલું સ્વાસ્થ્ય હોય છે આપણ બધા કને; બેસીને મારા ખાટલે ખાંસી લ્યો વૈદ્યજી ! આગળ ગળાથી કાંઈ ઊતરતું નથી હવે, નસ્તરથી કંઠ થોડો તરાસી લ્યો વૈદ્યજી ! નાડી…

  • વકરેલો ઘાવ-હરકિસન જોષી

    ઔષધથી રોગ ઊલટાનો વિફર્યો છે વૈદ્યજી ! મરહમ લાગડ્યો ઘાવ તો વકર્યો છે વૈદ્યજી ! જ્વર શોધવાને રોજ શું નાડી તપાસો છો ! નખ શિખ પૂરા દેહમાં પ્રસર્યો છે વૈદ્યજી ! અંગોને શેકવાની સલાહ દઈ રહ્યા છો પણ; ભીતરનો મર્જ જન્મથી તરસ્યો છે વૈદ્યજી ! એ પાનખર વસંત શરદ થઈ રહ્યો હવે; આષાઢી મેઘ થઈને…

  • સખી ઝૂલોને-સંદીપ ભાટીયા

    સખી ઝૂલોને પવન હળવેકથી ચૂમી કહે છે ફૂલોને રંગના વંટોળોયાઓ વનમાં વાટ ભૂલ્યા છે ઊગવું આથમવું શું દિન કે શું રાત ભૂલ્યા છે અલ્પ શું આલિંગવામાં શું અફાટ ભૂલ્યા છે તમેય ભૂલોને પવન હળવેકથી ચૂમી કહે છે ફૂલોને હટાવી દો બધા પરદા મિટાવી દો નકાબોને મોસમ મોકલે છે જાસા રાજાઓ નવાબોને જાઇ જૂઇ મોગરાઓને ચમેલીને…

  • ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

    જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે ! ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?! અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો; લિપિબદ્ધ એ વિરહવ્યથાઓ જઈ શ્યામને દેજો ! ઉદ્ધવ ! એને કહેજો : પૂનમને અજવાળે વાંચે; તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે ! ઊનાં ધગધગતા નિશ્વાસો નથી આપતાં સાથે ! જાવ…

  • ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

    તમે અહીંથી જાઓ, ઉદ્ધવ ! ક્યાંક, કૃષ્ણની વાતો કરતાં હૈયું ફાટી જાશે ! તમે આવતાં, ઉદ્ધવ ! આજે અમે; છેલ્લું પાનેય ખરી ગયેલાં વૃક્ષ સમા થૈ ગયાં ! ધૂપ હતા અગરું-ચંદનનો પહેલાં; આજે આટાકટના વ્યર્થ ગણાતા ધૂમ્ર બની રહી ગયા ! ન’તા જાણતા : ઘટ ભરવાથી; ઘટ સંગાથે સીંચણિયું પણ ડૂબશે, લથબથ થાશે ! તમે…

  • ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

    કહ્યું હોય જો શ્યામે, ઉદ્ધવ ! અમે ગોપીઓ મામ મૂકીને જઈએ મથુરાગ્રામ ! “અમે કર્યો છે પ્રેમ જ કેવળ,” હરખ્યાં જગમાં કથી; શા સગપણ જોડ્યાં કહાનાએ, અમે જાણતા નથી ! હોય પ્રેમમય, તે સઘળાંને બાહુપાશમાં લે છે; તેથી જ પહેલાં બધા છોડમાં બે પર્ણો પ્રગટે છે ! વશ કરશું જો ફરી આવશે; તો, ઉદ્ધવજી !…

  • હોળી-દિવ્યા સોની “દિવ્યતા”

    * જ્યારથી આંખો એમની વખોડી ગઈ; ત્યારથી હૈયે વિયોગની હોળી થઇ ! * જયારે કર્મોના હિસાબ આપતી, ખાલી ઈશ્વરની ઝોળી થશે; ક્યાંક રંગોની ધૂળેટી તો કેટલાક હૈયે ત્યારે ઉની હોળી થશે ! * જેટલી માનવીના મનમાં આંચ છે; એટલે હોળીમાં પણ ક્યાં દાઝ છે ? * કૃષ્ણ બનવું સહેલું છે, રાધારાણી બનવા કરતા કદાચ; રાધાએ…

  • ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

    શી રીતે સૂરજ કે જલ વીણ વૃક્ષ બાપડું ફળે ? ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ? શા કારણથી કલબતાં ખગ, પૂરવ દીસતાં ભાણ ? શાથી જલમાં પ્રગટે અગ્નિ ! ઉદ્ધવ ! કહો સુજાણ ! વાદળ વરસે ધોધમાર; કોઈ પીએ, ઝીલે કે ન્હાય; ધરતીમાંથી તૃણ પ્રગટે, હૃદયે એવું શું થાય ?! પ્રેમ…

  • Home