Home

  • ક્રોધ : કારણ – નિવારણ (૩) – ઓશો

    ૧. અને તમે વિચારવા લાગો છો- ‘મને ક્રોધથી છુટકારો જોઈએ છે. હું તે માટે પ્રયત્ન કરીશ- યમ-નિયમ સાધીશ, આસન કરીશ, ધ્યાન-ધારણા કરીશ— મારે તેનાથી મુક્ત થવું જ છે.’ આ રીત તમે તમારું અધૈર્ય બતાવો છો. તમે આ અધીરતાથી જણાવી દીધું કે- જે છે તેનાથી તમે રાજી નથી, જે છે તે સાથે તમે સહમત નથી. તમે…

  • કીડી-પ્રીતમ લખલાણી

    ૧. રાતી કીડીનું પગેરું શોધવા કાળી કીડી ભટકે સફેદ ખાંડની ઢગલીમાં. ૨. શબ્દને શ્વેત કાગળ પર શિસ્તબદ્ધ હારમાં ઊભેલ જોઈ, સાકરના કણને રેઢો મૂકી કીડી એક શબ્દને છેવાડે આશ્ચર્યચિહ્ન સમી ઊભી રહી ગઈ ! ૩ બારાખડીના અક્ષરે કીડીને કાનમાં એવું તે શું કહ્યું હશે કે દેશી હિસાબમાં ફેરફુદરડી ફરવાનું ભૂલીને તે ચટકા ભરતી થઈ ગઈ…

  • ચાર રચનાઓ-ચિનુ મોદી

    ૧. અધમણ અંધારું ઘેરાયું, સમજી જા ચંદ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે માથા સાથે ધડ છેદાયું, સમજી જા. ૨. નભની આ ગેબી વાણી છે, સમજી જા પળ પોતે પણ પટરાણી છે, સમજી જા દરિયા જેવો દરિયો લાગે આ બ્હીઘેલો ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા. ૩. પડછાયાનું ટોળે વળતું…

  • ઝાંઝર-ચિનુ મોદી

    હું રણકાવું ત્યારે રણકવાનું ઝણકાવું ત્યારે ઝણકવાનું આમ જાતે જાતે રણઝણવાનું નહીં સમજ, સમજ; તું ઝાંઝર છે. હું કહું : “બસ, બહુ થયું.” એટલે મંત્રમુગ્ધ કરતા તારા ઝંકાર તારે સમેટી લેવાના, શું ? હું રિસાઈને કોપભવનમાં હોઉં કે ભરી ભીડથી છૂટવા એકદંડિયા મ્હેલમાં હોઉં ત્યારે, જાતે જાતે ઝણકીને, મને ખલેલ પહોંચાડવાની નહીં- અબે, તું ઝાંઝર…

  • કુલદીપ કારિયા

    કવિ કુલદીપ કારિયાનો જન્મ રાજકોટના પડધરીમાં ૨૪ જૂલાઈ ૧૯૮૭ ના રોજ થયો હતો. (પિતા: રાજેન્દ્રભાઈ કારિયા, માતા: લતાબેન કારિયા). ૨૦૦૫માં કલ્યાણ હાઈસ્કૂલ (રાજકોટ) માંથી ધોરણ-૧૨ (કોમર્સ)) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ૨૦૦૮માં રાજકોટની જે. જે કુંડલીયા આર્ટસ્ ઍન્ડ કૉમર્સ કૉલેજમાંથી બી.કૉમ થયા. ૨૦૦૯માં તેમણે અમદાવાદની ભવન્સ કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કૉમ્યુનિકેશ ખાતેથી જર્નાલિઝમમાં…

  • સ્પર્શ-મનીષા જોષી

    આ હું બેઠી છું એ લાકડાની બેન્ચ આજે જાણે નવેસરથી અનુભવાય છે. લાકડામાં પડેલી તિરાડો પરથી હટીને નજર સ્થિર થાય છે, મારા હાથ પરની કરચલીઓ પર. કથ્થાઈ રંગના મારા હાથ ફરી વળે છે, લાકડાની તિરાડોમાં. ન સામ્ય, ન વિરોધ. ઘેટાના મુલાયમ શરીરની ગરમ રુંવાટી પર હાથ ફેરવું કે પ્રાચીન સ્થાપત્યની ઠંડીગાર ભીંતને હાથ અડાડું, સંવેદનમાં…

  • મારી જાતને-પન્ના નાયક

    હું મારી જાતને રોકી શકતી નથી : મનુષ્યોને ચાહતાં વ્યથામાં સહાનુભૂતિ દર્શાવતાં ખાનગી વાત છાની રાખતાં દરિયાકિનારે રેતી પર ટહેલતાં મોજાંઓનો ઘુઘવાટ કાનમાં સંઘરતાં પાર્કમાં વૃક્ષોનાં પાંદડાં ગણતાં ઝરણાં સાથે ગોષ્ઠી કરતાં વરસાદમાં તરબોળ થતાં ઘાસ પર ખુલ્લે પગે ચાલતાં સાડીઓમાં સજ્જ થતાં ભેટસોગાદો આપતાં ઘર સજાવતાં ફૂલો ગોઠવતાં પકવાન પકાવતાં પુસ્તકો વસાવતાં કાવ્યો માણતાં…

  • મિલિન્દ ગઢવી

    જૂનાગઢના વતની એવા કવિ, સંચાલક મિલિન્દ ગઢવીનો જન્મ 1 મે 1985 ના રોજ મેંદરડા (જૂનાગઢ)નાં દેત્રાણા ગામમાં થયો હતોં. (પિતા: ડોં ભરત ગઢવી, માતા: ચંદનબહેન ગઢવી). તેમણે શાળાકિય શિક્ષણ રૂપાયતણ (અમરેલી), Good Samaritan English Medium High School (અમરેલી), ગુરુકુળ (સાવરકુંડલા), Carmel Convent High School (જુનાગઢ), Saint Xevier’s High School (જામનગર), Saint Mary’s School (પોરબંદર), સ્વામી…

  • અમે !-કરસનદાસ લુહાર

    લો, અલખના ઓટલે બેસી ચલમ પીધી અમે, ને પળોને ઘેનથી ઘેઘૂર-ઘટ્ટ કીધી અમે. કે, વળાંકો કેટલા આવ્યા હતા વચ્ચે; નકર- ચાલવાને કેડી પકડી’તી સરળ-સીધી અમે. કે, ન’તું મંજૂર જેને ખુશ થવું ક્યારેય પણ; વેદના સઘળીય એની આંચકી લીધી અમે. સ્પષ્ટ ને સહેલાઈની એવી પળોજણમાં પડ્યા; ને સરળતાથી કરી દીધી જટિલ વિધિ અમે. શ્વાસ કરતાંયે વધારે…

  • વકરેલો ઘાવ-હરકિસન જોષી

    લયબદ્ધતા હૃદયની તપાસી લ્યો વૈદ્યજી ! શ્વાસોની ઊંડી ઊંડી તલાસી લ્યો વૈદ્યજી ! ખોટી જગાએ દ્વાર જો ઊઘડી ગયા દિશે; જલદીથી જડી પાટિયાં વાસી લ્યો વૈદ્યજી ! કથળેલું સ્વાસ્થ્ય હોય છે આપણ બધા કને; બેસીને મારા ખાટલે ખાંસી લ્યો વૈદ્યજી ! આગળ ગળાથી કાંઈ ઊતરતું નથી હવે, નસ્તરથી કંઠ થોડો તરાસી લ્યો વૈદ્યજી ! નાડી…

  • Home