Home

  • ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

    ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ ! શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ? પગદંડી આ રઘવાઈ જે જઈ રહી મધુવનમાં; એને છેડે ગોકુળ આખ્ખું પહોંચી જાતું ક્ષણમાં ! રાત આખીયે બધી ગોપીઓ જમુનાકાંઠે ગાળે; શું, ઉદ્ધવજી ! માધવ કદીયે ગોકુળ સામું ભાળે ? મથુરાની ગત મથુરા જાણે; અમે જાણીએ,…

  • ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

    વિનિપાત નોતરવા, કરવાં પડે જ વિપરીત કાર્યો ! ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો ! આમ્રકુંજમાં કૂજે કોકિલ, ટહુકો લાગે મીઠો; થોર ઉપર શું કોઈ કાગડો પણ બેસેલો દીઠો ? સહન કરત જો શિર પર ઢોળી દેત સૂરજની હાંડી; વિરહ થકીયે વસમું છે, જે શ્યામ ગયા છે છાંડી ! રહ્યાં અ-સાવધ અમે, રમ્યો…

  • ફરી એક વાર..-કુમાર જૈમિનિ શાસ્ત્રી

    ૧. આજે ફરી એક વાર મનના ગોકુળિયામાં બાલકૃષ્ણની બંસી બજી ઊઠી છે એક કાચ્ચી-કુંવારી છોકરી ભર ઊંઘમાંથી આળસ મરડીને જાગી ઊઠી છે… ૨. યુગોયુગોથી સુષપ્ત નસોમાં ઉન્માદના હરણાં ને સસલાં કૂદાકૂદ કરી મર્યાદા-બંધોને તોડીફોડીને તહસ-નહસ કરી રહ્યાં છે આ દુર્ઘટનાને ટાળવા માટે ક્યારેક નિખાલસતાપૂર્વક મેં તેને પ્રપોઝ કરી હતી. ૩ આજે ફરીથી એ ઘડીનું અનાયાસ…

  • કેસૂડાનાં કામણ-હર્ષદ ચંદારાણા

    રુંવે રુંવે રણઝણ છે, આ કેસૂડાનાં કામણ છે, ફૂલ-ફટાયો ફાગણ છે, આ કેસૂડાનાં કામણ છે. ઘરમાં રંગો ઘૂઘવે છે, ફળિયે મોજાં ઉછળે છે, એમાં ન્હાવાની ક્ષણ છે, આ કેસૂડાનાં કામણ છે. છતથી રંગો વરસે છે, ભીની ભીની ભીંતો છે, વરણાગી નિમંત્રણ છે, આ કેસૂડાનાં કામણ છે. કમરો વિહવળ ધબકે છે, ઉંબર મીઠું ટહુકે છે, રંગે…

  • ક્રોધ : કારણ – નિવારણ (૨) – ઓશો

    ૧. શાંતિ કંઈ ક્રોધની વિપરીત દશા નથી, જેને તમે સાધી લો. હા, એ વાત સાચી છે કે જ્યાં શાંતિ છે ત્યાં ક્રોધ નથી. શાંતિ છે ક્રોધનો અભાવ, તેનાથી વિપરીત નહિ. લોકો એમ માને છે કે શાંતિ, ક્રોધથી વિપરીત દશા છે; માટે ક્રોધને દૂર કરશું તો શાંતિ પ્રાપ્ત થશે. નહિ, ક્રોધને દૂર કરવાથી શાંતિ પ્રાપ્ત નહિ…

  • સાચવી તો લે જ-કૃષ્ણ દવે

    ભટકું કદાચ તો પણ એ સાચવી લે જ, અટકું કદાચ તો પણ એ સાચવી લે જ. હદથી વધુ સમસ્યા પીવાની ટેવ છે ને, લથડું કદાચ તો પણ એ સાચવી લે જ. ધગ ધગ થતા સમયને હું બાથ ભરી લઉં કે, પકડું કદાચ તો પણ એ સાચવી લે જ. જોવામાં એટલો હું તલ્લીન હોઉં ત્યારે, સળગું…

  • કાંઈ નહીં-કૃષ્ણ દવે

    ઝાકળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં, ઝળહળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં. સૂતેલા ઝરણાંઓને ઢંઢોળી વહેતા કરી મૂકે ને પોતે પાછો- ખળખળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં. લેવાતા બે શ્વાસ વચાળે સતત રેણ કરવાનું એનું કામ એટલે, પળપળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું…

  • એ કોણ છે ?-નીતિન વડગામા

    રોજ ઝીણું ઝરમરે, એ કોણ છે ? આંગણું ભીનું કરે, એ કોણ છે ? હરપળે આ શ્વાસના મંદિર ઉપર, થઈ ધજા જે ફરફરે, એ કોણ છે ? કોણ ગોવર્ધન ઉપાડે છે હજી ? આંગળી ટચલી ધરે, એ કોણ છે ? શાંત જળમાં, આભમાં, અવકાશમાં, શિલ્પ ઝીણાં કોતરે, એ કોણ છે ? પાંદડું પીળું કરીને ખેરવે,…

  • ઈજન-જગદીપ ઉપાધ્યાય

    બે કાંઠે છલકાતી આંખો ભરપૂર, વહે નસનસમાં પૂર, આવ ડૂબીએ, ડૂબવાની મોસમ છે ફાટે છે ઉર, નથી ડૂબવાનું દૂર, આવ ડૂબીએ. લીલા ટહુકાની સંગ લઈએ હિલ્લોળ, આજ બહાના ના ખોળ, આવ ડૂબીએ, નીતરતાં ફૂલોની ઊડે છે છોળ, એમાં થઈએ તરબોળ, આવ ડૂબીએ. જીવનમાં મોતી ના કોઈ મળે દામ, ન’તો છીપલાં કે નામ, આવ ડૂબીએ, કારણ…

  • છત્રી-પ્રીતમ લખલાણી

    ૧. છત્રી ખૂલતાં જ તડકો આભથી ધોધમાર વરસે ! ૨. છત્રી છતાં મુગ્ધા કોઈની યાદમાં તરબોળ ભીંજાય. ૩. માણસને છાપરા તળે કોરોકટ ઊભેલ જોઈને છત્રી ટહુકતા મોરને કહે : ‘મૂવા, અભાગિયા અવસરે પણ ભીંજાઈ ન શક્યા !’ ૪. જો માણસ છત્રીની જેમ ઊઘડી શકતો હોત તો ! કદાચ આભ બારેમાસ મન મૂકીને વરસતું હોત !…

  • Home