-
સમજાય છે ? – મનોજ્ઞા દેસાઈ
તાર જરી તૂટ્યો છે સાંધો તો સંધાતા, વાર નહીં લાગે, સમજાય છે ? આળું હોય મન અને ફેંકો તો નાજુકડાં, ફૂલો પણ વાગે, સમજાય છે ? કાળી આ રાત જેવું જીવન છતાંય હું તો તારાઓ ગણી ગણી થાકી, તમે ગણતા રહ્યા સદા ચાંદનાં કલંક હજી ચાંદનીને માણવાની બાકી. ઢંઢોળો મનને તો સૂતાં જે આજ લગી,…
-
ક્રોધ : કારણ – નિવારણ (૧) – ઓશો
૧. તમે કેટલી વખત વિચાર્યું છે કે- હવે ક્રોધ નહિ કરીએ. તમે શાસ્ત્રોને સાંભળીને, વાંચીને; બરાબર સમજી ગયા છો કે- ક્રોધ પાપ છે, ઝેર છે. તેનાથી કોઈ લાભ નથી થતો. તેમ છતાં જ્યારે પણ ક્રોધ આવે છે ત્યારે તમે તેના ઝંઝાવાતમાં ખોવાઈ જાઓ છો; સાંભળેલી કોઈ પણ વાત યાદ જ નથી આવતી. ૨. ક્રોધ જ્યારે…
-
ખિસકોલી-પ્રીતમ લખલાણી
૧. વસંત કઈ ડાળેથી પ્રવેશી વૃક્ષમાં તેની ખબર હોય છે માત્ર ખિસકોલીને જ ! ૨. ફળિયે ટહુકા વીણતી ખિસકોલીને જોઈને કોયલ મૂંઝાઈ, કે ખિસકોલી મારી જેમ ટહુકવા તો નહીં માંડેને ? ૩. કોયલને ખિસકોલીએ જ કહ્યું કે ; ‘વસંત આવે છે’. ( પ્રીતમ લખલાણી )
-
પાંદડું-પ્રીતમ લખલાણી
૧. ડાળે એક પાંદડું ફરફરતું હોય છે ત્યાં લગી વૃક્ષને ક્યાં બીક હોય છે પાનખરની ? ૨. ફૂલ, ડાળ કે પંખીથી નહીં પણ વૃક્ષ ઓળખાય છે પાંદડાંથી. ૩. જે દિવસે કાગડા અને કોયલમાંથી વૃક્ષ લેશે કાગડાનો પક્ષ તે દિવસે તેની ડાળને લીલાં નહીં પણ ફૂટશે કાળાં પાંદડાં. ૪. મોસમના રંગે બદલાતા વૃક્ષને સમજી શકે છે…
-
એટલે તો-બરકત વીરાણી ‘બેફામ’
એટલે તો ચાલવામાં સાવ ધીરા થઈ ગયા, જ્યારે જોયું કે ચરણમાં કંઈક ચીરા થઈ ગયા. જે મને વાગ્યા ચરણમાં, રહી ગયા એ પથ્થરો, જેમને મેં હાથમાં લીધા એ હીરા થઈ ગયા. ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે ? કે હવે તો હસ્તરેખામાંય ચીરા થઈ ગયા. ના જુઓ દીવાનગીમાં બહારનાં વસ્ત્રો ફક્ત, દિલની અંદર લાગણીઓનાંય…
-
કોઈ એમ ન માને કે…-પન્ના નાયક
કોઈ એમ ન માને કે હું માત્ર પુસ્તકોથી ઘેરાયેલી છું લાઈબ્રેરીની બહાર પણ જીવન વહે છે નદીની જેમ એક બાજુ ઘૂઘવતા અક્ષરોનો અવિરામ સમુદ્ર અને બહાર ઊછળતા મનુષ્યોના અનેકવિધ ચહેરાઓ. પ્રત્યેક ચહેરો મારે માટે નહીં લખાયેલી કે નહીં વંચાયેલી નવલકથા કે નવલિકા કે એક સ્વયં કવિતા છે. કોઈના સ્મિતના અજવાળે હું આંખોના અધ્યાય વાંચી લઉં…
-
પ્રેમનો મારગ-પન્ના નાયક
પ્રેમની લીલીછમ જાજમ બિછાવેલા રસ્તા પર પગમાં છાલાં પડે ત્યાં સુધી અટક્યા વિના ચાલ્યા કરો છો તમે. તમને કોણ સમજાવે કે આ કહેવાતા પ્રેમનો રસ્તો ક્યાંય જતો નથી કે ક્યાંય લઈ જતો નથી. તમે ઊભા હતા ત્યાં ને ત્યાં જ ઊભા છો હજી અને ઊભા જ રહેશો ત્યાં. છતાંય મનમાં માનો છો ને વંચક મનને…
-
ટહુકો-પ્રીતમ લખલાણી
૧. રાત્રે આ ટમટમતા તારા એ બીજું કાંઈ નથી. પણ દિવસે પંખી ચાંચે આભમાં વેરાઈ ગયેલા ટહુકા જ હોય છે. ૨. કોઈ ઢળતી સાંજે પંખી ટહુકે ત્યારે પીંજરું પીગળીને આભ થઈ જતું હોય છે. ૩ ઊડી જતો ટહુકો એવું તે શું કહી ગયો કે પર્ણ લાલ-પીળાં થઈ ગયાં ? ૪. પંખી પૂછે ડાળને ‘જોઈએ છે…
-
તો લખજે મને-પરાજિત ડાભી
આંસુઓને સારવાનું થાય તો લખજે મને. દર્દને વિસ્તારવાનું થાય તો લખજે મને. જિંદગી કેરો ભરોસો સોળાઆની હોય પણ, મોતને જો મારવાનું થાય તો લખજે મને. જે વિચારોનાં બરફને પીગળાવી ના શકે, તાપણું એ ઠારવાનું થાય તો લખજે મને. ધબ દઈને તેં પછાડ્યું પોટલું જે શ્વાસનું, એ ફરી વેંઢારવાનું થાય તો લખજે મને. હારવામાં તો હંમેશા…
-
એકાંતનો માળો-પન્ના નાયક
મારા ઘરમાં જ એક બગીચો છે ફૂલોથી સભર ને તરબતર. મને ફૂલોની તરસ લાગી છે અને સુગંધની શાંતિને હું ગટગટાવું છું. મારા ઘરમાં જ અનેક પહાડો છે આ પહાડો સૌજન્યશીલ છે એ સૂરજને રૂંધતા નથી કુમળાં કિરણોનું ગળું દબાવતા નથી. મારા ઘરમાં જ એક દરિયો પણ છે અને એનાં અનંત મોજાં ઊછળ્યાં કરે છે માછલીઓ…
-
Home