-
કેસૂડાનાં કામણ-હર્ષદ ચંદારાણા
રુંવે રુંવે રણઝણ છે, આ કેસૂડાનાં કામણ છે, ફૂલ-ફટાયો ફાગણ છે, આ કેસૂડાનાં કામણ છે. ઘરમાં રંગો ઘૂઘવે છે, ફળિયે મોજાં ઉછળે છે, એમાં ન્હાવાની ક્ષણ છે, આ કેસૂડાનાં કામણ છે. છતથી રંગો વરસે છે, ભીની ભીની ભીંતો છે, વરણાગી નિમંત્રણ છે, આ કેસૂડાનાં કામણ છે. કમરો વિહવળ ધબકે છે, ઉંબર મીઠું ટહુકે છે, રંગે…
-
ક્રોધ : કારણ – નિવારણ (૨) – ઓશો
૧. શાંતિ કંઈ ક્રોધની વિપરીત દશા નથી, જેને તમે સાધી લો. હા, એ વાત સાચી છે કે જ્યાં શાંતિ છે ત્યાં ક્રોધ નથી. શાંતિ છે ક્રોધનો અભાવ, તેનાથી વિપરીત નહિ. લોકો એમ માને છે કે શાંતિ, ક્રોધથી વિપરીત દશા છે; માટે ક્રોધને દૂર કરશું તો શાંતિ પ્રાપ્ત થશે. નહિ, ક્રોધને દૂર કરવાથી શાંતિ પ્રાપ્ત નહિ…
-
સાચવી તો લે જ-કૃષ્ણ દવે
ભટકું કદાચ તો પણ એ સાચવી લે જ, અટકું કદાચ તો પણ એ સાચવી લે જ. હદથી વધુ સમસ્યા પીવાની ટેવ છે ને, લથડું કદાચ તો પણ એ સાચવી લે જ. ધગ ધગ થતા સમયને હું બાથ ભરી લઉં કે, પકડું કદાચ તો પણ એ સાચવી લે જ. જોવામાં એટલો હું તલ્લીન હોઉં ત્યારે, સળગું…
-
કાંઈ નહીં-કૃષ્ણ દવે
ઝાકળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં, ઝળહળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં. સૂતેલા ઝરણાંઓને ઢંઢોળી વહેતા કરી મૂકે ને પોતે પાછો- ખળખળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું તો કહે, કાંઈ નહીં. લેવાતા બે શ્વાસ વચાળે સતત રેણ કરવાનું એનું કામ એટલે, પળપળ વચ્ચોવચ્ચ રહે ને નામ પૂછું…
-
એ કોણ છે ?-નીતિન વડગામા
રોજ ઝીણું ઝરમરે, એ કોણ છે ? આંગણું ભીનું કરે, એ કોણ છે ? હરપળે આ શ્વાસના મંદિર ઉપર, થઈ ધજા જે ફરફરે, એ કોણ છે ? કોણ ગોવર્ધન ઉપાડે છે હજી ? આંગળી ટચલી ધરે, એ કોણ છે ? શાંત જળમાં, આભમાં, અવકાશમાં, શિલ્પ ઝીણાં કોતરે, એ કોણ છે ? પાંદડું પીળું કરીને ખેરવે,…
-
ઈજન-જગદીપ ઉપાધ્યાય
બે કાંઠે છલકાતી આંખો ભરપૂર, વહે નસનસમાં પૂર, આવ ડૂબીએ, ડૂબવાની મોસમ છે ફાટે છે ઉર, નથી ડૂબવાનું દૂર, આવ ડૂબીએ. લીલા ટહુકાની સંગ લઈએ હિલ્લોળ, આજ બહાના ના ખોળ, આવ ડૂબીએ, નીતરતાં ફૂલોની ઊડે છે છોળ, એમાં થઈએ તરબોળ, આવ ડૂબીએ. જીવનમાં મોતી ના કોઈ મળે દામ, ન’તો છીપલાં કે નામ, આવ ડૂબીએ, કારણ…
-
છત્રી-પ્રીતમ લખલાણી
૧. છત્રી ખૂલતાં જ તડકો આભથી ધોધમાર વરસે ! ૨. છત્રી છતાં મુગ્ધા કોઈની યાદમાં તરબોળ ભીંજાય. ૩. માણસને છાપરા તળે કોરોકટ ઊભેલ જોઈને છત્રી ટહુકતા મોરને કહે : ‘મૂવા, અભાગિયા અવસરે પણ ભીંજાઈ ન શક્યા !’ ૪. જો માણસ છત્રીની જેમ ઊઘડી શકતો હોત તો ! કદાચ આભ બારેમાસ મન મૂકીને વરસતું હોત !…
-
સમજાય છે ? – મનોજ્ઞા દેસાઈ
તાર જરી તૂટ્યો છે સાંધો તો સંધાતા, વાર નહીં લાગે, સમજાય છે ? આળું હોય મન અને ફેંકો તો નાજુકડાં, ફૂલો પણ વાગે, સમજાય છે ? કાળી આ રાત જેવું જીવન છતાંય હું તો તારાઓ ગણી ગણી થાકી, તમે ગણતા રહ્યા સદા ચાંદનાં કલંક હજી ચાંદનીને માણવાની બાકી. ઢંઢોળો મનને તો સૂતાં જે આજ લગી,…
-
ક્રોધ : કારણ – નિવારણ (૧) – ઓશો
૧. તમે કેટલી વખત વિચાર્યું છે કે- હવે ક્રોધ નહિ કરીએ. તમે શાસ્ત્રોને સાંભળીને, વાંચીને; બરાબર સમજી ગયા છો કે- ક્રોધ પાપ છે, ઝેર છે. તેનાથી કોઈ લાભ નથી થતો. તેમ છતાં જ્યારે પણ ક્રોધ આવે છે ત્યારે તમે તેના ઝંઝાવાતમાં ખોવાઈ જાઓ છો; સાંભળેલી કોઈ પણ વાત યાદ જ નથી આવતી. ૨. ક્રોધ જ્યારે…
-
ખિસકોલી-પ્રીતમ લખલાણી
૧. વસંત કઈ ડાળેથી પ્રવેશી વૃક્ષમાં તેની ખબર હોય છે માત્ર ખિસકોલીને જ ! ૨. ફળિયે ટહુકા વીણતી ખિસકોલીને જોઈને કોયલ મૂંઝાઈ, કે ખિસકોલી મારી જેમ ટહુકવા તો નહીં માંડેને ? ૩. કોયલને ખિસકોલીએ જ કહ્યું કે ; ‘વસંત આવે છે’. ( પ્રીતમ લખલાણી )
-
Home