Home

  • ચાંદરણા (૧૨) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ એ પોતીકી ગલી છે, નેશનલ હાઈવે નથી.  . પ્રેમમાં મગજ બંધ પડે છે અને હૃદય ચાલે છે.  . પ્રેમમાં પ્રોમિસરી નોટ, વટાવવા માટેના ચેક થઈ જાય છે.  . ‘રમણી’થી વિસ્તરીને ‘રમણીય’ થઈ જાય તે પ્રેમ !  . જે સ્વયં ઉગવો જોઈએ, જેને આરોપવો પડે તે પ્રેમ નથી !  . આકૃતિ સ્થિર હોય પણ પડછાયા…

  • ચાંદરણા (૧૧) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ અશિષ્ટ નથી, તેમ શિષ્ટાચાર પણ નથી !  . પ્રેમાળ રોષમાં હેતાળ તેજસ્વિતા હોય છે.  . પ્રેમ એ આરતી ઉતાર્યા વિના વહેંચાતો પ્રસાદ છે.  . પ્રેમમાં સબ ભૂમિ ગોપાલકી નહીં, અડધી ભૂમિ રાધાની !  . અજંપ પ્રેમ ગૂંગળાય છે, પણ પરપોટો નથી બનતો !  . પ્રેમ ઈન્દ્રધનુષ છે, પણ ઈન્દ્રધનુષ્ય જેવો અલ્પાયુ ન હોય !…

  • ચાંદરણા (૧૦) – રતિલાલ ‘અનિલ’

    કબ્રસ્તાનમાં આવેલા વૃક્ષ પર પ્રેમ જ માળો બાંધે છે.  . હૈયામાં પ્રેમ હોય તે આ જગત પાસે માત્ર માળાનું ઘાસ જ માંગે છે !  . પ્રેમ દિશા નથી, દિશાઓ વિહોણું આકાશ છે.  . પ્રેમ, પ્રયોજન વગરનું ઈજન પણ હોય !  . સૂર્યનો દિવસ પ્રકાશથી, માણસનો દિવસ પ્રેમથી ઊગે છે !  . ‘અંગત’ બાબતમાં પારંગત હોય…

  • ચાંદરણા (૯) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમમાં પડેલો સૂર્યવંશી, ચંદ્રવંશી થઈ જાય છે !  . પ્રેમમાં ગણિત આવે છે ત્યારે પ્રેમી મહેતાજી થઈ જાય છે !  . શણગાર ઉતાર્યા વિના રાજારાણી પ્રેમ ન કરી શકે !  . રઘવાયો પ્રેમ લાગે, સંયમ યમ જેવો લાગે !  . પ્રેમ પૂજા કરવા માંડે ત્યારે તે કર્મકાંડી થઈ જાય છે.  . કોઈ જુદાં પડવા માટે…

  • ચાંદરણા (૮) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ એ જીવનભર પાળવાનો વહેમ પણ હોય !  . પ્રેમનો લય તો અભિસારિકાના પદરવમાં હોય છે !  . પોતામાં સંતાયેલો અજાણ્યો પુરુષ ઓચિંતો પ્રગટ થઈ જાય તે પહેલો પ્રેમ !  . પ્રેમનો સંકોચ ? ઊઘડેલું ફૂલ ફરી કળી થવાનો નિષ્ફળ પ્રયત્ન કરે તે !  . ઝરણું અને પ્રેમ, પોતે જ પોતાનો માર્ગ કરી લે છે.…

  • ચાંદરણા (૭) – રતિલાલ ‘અનિલ’

    ‘વિરહ’ એ ‘નિકટની દૂરતા’નું નામ છે !  . પ્રેમના ઈંડાનું કવચ અંદરની ચાંચથી ભેદાય, ફૂટે !  . પ્રેમની પ્રતિક્રિયા પણ પ્રેમ જ હોય છે !  . પ્રેમપત્ર પર થયેલી સહી અવાચ્ય હોય તો યે વંચાય છે.  . પાણી ઢોળાવે,પ્રેમ સમાન સપાટીએ સરે છે.  . પ્રેમનાં તંતુ, વીણાના તંતુ હશે ? એમાંયે સ્પર્શ, ‘ઝંકાર’ બની જાય…

  • ચાંદરણા (૬) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ કહે છે કે અવકાશની ટોચે શિખર હોય છે !  . પ્રેમ પ્રેઝન્ટ જ હોય છે, પણ આઈટેમ હોતો નથી.  . પ્રેમ એ અનુભૂતિ છે, કોઈ દૈવી અનુષ્ઠાન, ક્રિયાકાંડ નથી.  . પોતામાં ન હોવાની સ્થિતિ પ્રેમ માટે અવકાશ રચે છે.  . પ્રેમ એક અર્થ છે, તે અર્થ છાયાની શીતળતા પણ છે.  . પ્રેમ વમળને પાણી…

  • ચાંદરણા (૫) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ એ પ્રભાતનું નહીં, મધ્યાહ્નનું ઝાકળ હોય છે.  . પ્રેમમાં આકૃતિઓ ઓગળી જઈને અનુભૂતિ બની જાય છે.  . પ્રેમ એ ઉંઘમાં નહીં, યૌવનની જાગૃતિમાં આવેલું સ્વપ્ન છે.  . પ્રેમ એવો અદમ્ય ઉમળકો છે કે સાગર સરિતાને મળવા જાય છે !  . પ્રેમ એ આકાશના પ્રતિબિંબને આત્મસાત કરવા અરીસો બનતું શાંત સરોવર છે.  . વીજળીની ચપળ…

  • ચાંદરણા (૪) – રતિલાલ ‘અનિલ’

    સંબંધોમાં વસતું એકાંત ‘સંસ્કારી’ હોય છે.  . સ્મિત કરે છે તેને હાથ લંબાવવાની જરૂર પડતી નથી !  . સગપણ હોય એટલે વળગણ તો હોય જ !  . પારદર્શક હોય તેને પડછાયો હોતો નથી.  . માણસ રોજ રોજ ઊંઘે ત્યારે એકવાર આથમે છે.  . એકાંત, એક ચોરાયેલું નામ ઉકેલવા મથ્યા કરે.  . ગુસ્સો : મારી બહાર…

  • ચાંદરણા (૩) – રતિલાલ ‘અનિલ’

    ધીરજનાં બારણાં રાત્રે પણ ખૂલ્લાં રહે છે.  . બીજા વાવટા ફરકાવે એ માટે આપણે કાપડ વણવાનું છે.  . આશા કબરની માટીને કહે છે, બહાર સૂર્ય છે.  . કબર ખોદનારને પોતાના ભવિષ્યની જાણ હોવી જોઈએ.  . પ્રશ્ન એ નથી કે ઈશ્વર આળસુ છે, પ્રશ્ન એ છે કે સેતાન કામ કરે છે.  . પરપોટાની વોર્નિંગ છે, સમય…

  • Home