-
ચાંદરણા (૯) – રતિલાલ ‘અનિલ’
પ્રેમમાં પડેલો સૂર્યવંશી, ચંદ્રવંશી થઈ જાય છે ! . પ્રેમમાં ગણિત આવે છે ત્યારે પ્રેમી મહેતાજી થઈ જાય છે ! . શણગાર ઉતાર્યા વિના રાજારાણી પ્રેમ ન કરી શકે ! . રઘવાયો પ્રેમ લાગે, સંયમ યમ જેવો લાગે ! . પ્રેમ પૂજા કરવા માંડે ત્યારે તે કર્મકાંડી થઈ જાય છે. . કોઈ જુદાં પડવા માટે…
-
ચાંદરણા (૮) – રતિલાલ ‘અનિલ’
પ્રેમ એ જીવનભર પાળવાનો વહેમ પણ હોય ! . પ્રેમનો લય તો અભિસારિકાના પદરવમાં હોય છે ! . પોતામાં સંતાયેલો અજાણ્યો પુરુષ ઓચિંતો પ્રગટ થઈ જાય તે પહેલો પ્રેમ ! . પ્રેમનો સંકોચ ? ઊઘડેલું ફૂલ ફરી કળી થવાનો નિષ્ફળ પ્રયત્ન કરે તે ! . ઝરણું અને પ્રેમ, પોતે જ પોતાનો માર્ગ કરી લે છે.…
-
ચાંદરણા (૭) – રતિલાલ ‘અનિલ’
‘વિરહ’ એ ‘નિકટની દૂરતા’નું નામ છે ! . પ્રેમના ઈંડાનું કવચ અંદરની ચાંચથી ભેદાય, ફૂટે ! . પ્રેમની પ્રતિક્રિયા પણ પ્રેમ જ હોય છે ! . પ્રેમપત્ર પર થયેલી સહી અવાચ્ય હોય તો યે વંચાય છે. . પાણી ઢોળાવે,પ્રેમ સમાન સપાટીએ સરે છે. . પ્રેમનાં તંતુ, વીણાના તંતુ હશે ? એમાંયે સ્પર્શ, ‘ઝંકાર’ બની જાય…
-
ચાંદરણા (૬) – રતિલાલ ‘અનિલ’
પ્રેમ કહે છે કે અવકાશની ટોચે શિખર હોય છે ! . પ્રેમ પ્રેઝન્ટ જ હોય છે, પણ આઈટેમ હોતો નથી. . પ્રેમ એ અનુભૂતિ છે, કોઈ દૈવી અનુષ્ઠાન, ક્રિયાકાંડ નથી. . પોતામાં ન હોવાની સ્થિતિ પ્રેમ માટે અવકાશ રચે છે. . પ્રેમ એક અર્થ છે, તે અર્થ છાયાની શીતળતા પણ છે. . પ્રેમ વમળને પાણી…
-
ચાંદરણા (૫) – રતિલાલ ‘અનિલ’
પ્રેમ એ પ્રભાતનું નહીં, મધ્યાહ્નનું ઝાકળ હોય છે. . પ્રેમમાં આકૃતિઓ ઓગળી જઈને અનુભૂતિ બની જાય છે. . પ્રેમ એ ઉંઘમાં નહીં, યૌવનની જાગૃતિમાં આવેલું સ્વપ્ન છે. . પ્રેમ એવો અદમ્ય ઉમળકો છે કે સાગર સરિતાને મળવા જાય છે ! . પ્રેમ એ આકાશના પ્રતિબિંબને આત્મસાત કરવા અરીસો બનતું શાંત સરોવર છે. . વીજળીની ચપળ…
-
ચાંદરણા (૪) – રતિલાલ ‘અનિલ’
સંબંધોમાં વસતું એકાંત ‘સંસ્કારી’ હોય છે. . સ્મિત કરે છે તેને હાથ લંબાવવાની જરૂર પડતી નથી ! . સગપણ હોય એટલે વળગણ તો હોય જ ! . પારદર્શક હોય તેને પડછાયો હોતો નથી. . માણસ રોજ રોજ ઊંઘે ત્યારે એકવાર આથમે છે. . એકાંત, એક ચોરાયેલું નામ ઉકેલવા મથ્યા કરે. . ગુસ્સો : મારી બહાર…
-
ચાંદરણા (૩) – રતિલાલ ‘અનિલ’
ધીરજનાં બારણાં રાત્રે પણ ખૂલ્લાં રહે છે. . બીજા વાવટા ફરકાવે એ માટે આપણે કાપડ વણવાનું છે. . આશા કબરની માટીને કહે છે, બહાર સૂર્ય છે. . કબર ખોદનારને પોતાના ભવિષ્યની જાણ હોવી જોઈએ. . પ્રશ્ન એ નથી કે ઈશ્વર આળસુ છે, પ્રશ્ન એ છે કે સેતાન કામ કરે છે. . પરપોટાની વોર્નિંગ છે, સમય…
-
ચાંદરણા (૨) – રતિલાલ ‘અનિલ’
મારા કેટલાક અસ્વીકારે મારા હાથ ચોખ્ખા રાખ્યા છે. . હાથમાં બીજાનો હાથ હોય ત્યારે તે પ્રેમી નહીં, તો જોશી હોય. . સ્મૃતિ ભૂતકાળના દોરા પર ભવિષ્યનો પતંગ ચગાવે છે. . સંપ્રદાયોથી ધર્મ થીંગડાવાળા પિતામ્બર જેવો લાગે છે. . માણસ વસ્તુ જેવો હોય તો પછડાય છે, પણ પસ્તાતો નથી ! . પોતાની બહાર પોતાને શોધનારને બીજો…
-
ચાંદરણા (૧) – રતિલાલ ‘અનિલ’
. બહારના અંધકાર માટે બારીની તિરાડ પ્રવેશદ્વાર બનતી નથી. . સ્વપ્ન એ અંધકારના અરીસામાં પડતું પ્રતિબિંબ છે. . કેટલાક પોતે થાકે છે, કેટલાકનું મૃત્યુ થાકે છે. . કોરી સ્લેટને હથેળી પણ કહી શકાય. . કોઈવાર બેડી જ બે હાથને નજીક લાવે છે. . દીવાના પૂમડા અને અત્તરના પૂમડા વચ્ચે પસંદગી કરવાની છે. . મૃત્યુની દિશા…
-
અલવિદા રતિલાલ ‘અનિલ’…
. . વિખૂટા પડેલા બધા શે’ર મારા, હવે શેષ હું માત્ર મક્તો રહું છું. * કેવી અજબ સુવાસ છે, તારા ગયા પછી, જાણે તું આસપાસ છે, તારા ગયા પછી; સૂરજ તપે છે તે છતાં, જાણે વસંત છે, તારી હવામાં શ્વાસ છે, તારા ગયા પછી. * તપીને તાપમાં હું ઘેર આવ્યો તો વળી શાંતિ, હતું વ્યાકૂળ…
-
Home