-
આગમન – છાયા ત્રિવેદી
તું આવે છે હવાની લ્હેરખી બનીને જાણે સ્થગિત થયેલાને ગતિ આપવા . દરવાજો આપોઆપ ખૂલીને તને આવકારે છે ખુરશીના બેય હાથા, તને આલિંગવા લંબાય છે ! . ટેબલ તેના પાયા પર ઊંચું થઈ તને ચૂમવા આવે છે ! તેના પર ઢગલો થયેલા કાગળ ઊડાઊડ કરવા માંડે છે, તને મળવા . જમીન પર પડેલી તારાં પગલાંની…
-
મારું એકાંત – પન્ના નાયક
. મને ગમે છે મારું એકાંત. . ઘોંઘાટ શમી ગયો હોય છે, ચિત્ત શાંત થયું હોય છે, પછી મારી મારે માટેની શોધ આરંભાતી હોય છે, . અને કાવ્યની પ્રથમ પંક્તિ રૂમઝૂમ કરતી આવતી હોય છે મારી પાસે, . અને હરજી હળવે હળવે મૂકતા હોય છે હાથ મારે ખભે… . ( પન્ના નાયક )
-
બહિષ્કાર – પન્ના નાયક
એની કવિતાએ સ્ત્રીઓને બહેકાવી છે. . એની કવિતાએ સ્ત્રીઓને પોતાની સુષુપ્ત સંવેદનાને ઢંઢોળવાનું કહ્યું છે . એની કવિતાએ સ્ત્રીઓને પગમાં પહેર્યાં છે એ ઝાંઝર નહીં પણ સદીઓથી પહેરાવેલી બેડીઓ છે એમ મનાવી એ બેડીઓને ફગાવી દેવા કહ્યું છે . એની કવિતાએ સ્ત્રીઓને પતિના અવસાન પછી મુરઝાયેલા ફૂલ જેમ બાકીની જિંદગી જીવવાના આપણા રિવાજને તિરસ્કૃત કરવા…
-
ચામાચીડિયું – ધીરેન્દ્ર મહેતા
રોજ રાતે ભૂલું પડેલું ચામાચીડિયું મારા ઘરમાં પેસે; ઊંધે માથે લટકવા ગોતે જગા ને આમતેમ ભટકે અહીંતહીં ભટકાય… ઊંધમૂંધ પડ્યો હું જોયા કરું, ઊંધે માથે લટકવા કેટલો પુરુષાર્થ ! . ( ધીરેન્દ્ર મહેતા )
-
સાહિત્ય એમનો શોખ ને રસોઈ એમનો સ્વભાવ – ભદ્રાયુ વચ્છરાજાની
. બાળપણની બે સખીઓ ૨૦૦૯માં મળી ફરી. અરુણા પારેખ આવ્યા મુંબઈથી. અરુણા જાડેજા તો હતાં જ નવસારી. શા માટે મળ્યાં, ખબર છે ? પોતાનાં બહેનપણાંનાં પચાસ વર્ષ પૂરાં થયાં તે ઉજવવા ! રિક્ષા કરીને સવારથી સાંજ સુધી નાનપણની ખાસ ખાસ જગ્યાએ ગયાં. આખા નવસારીની પ્રદક્ષિણા કરી. બાળપણનું ગોઠિયાપણું મનભરીને વાગોળ્યું અને જીવનનો પરમ સંતોષ ગાંઠે…
-
…હું ને કલમ બેઠા – લલિત ત્રિવેદી
તપસ્વી તૃણ ઉપર બેઠા હો એમ હું ને કલમ બેઠા સરસતી ! એક પગલું પાડવા હું ને જનમ બેઠા ? . રૂઝવવા’તા અમુક આઘાત ઉજવવા’તા અમુક જજબાત રૂડા બે-ત્રણ સ્મરણની જુઈમાં હું ને જખમ બેઠા ? . કમળની પાંદડી છે કે તિલસ્માતી કોઈ સંધ્યા ? સરોવર-શા મૃદુલ એકાંતમાં હું ને સ્વયમ બેઠા ! . ન…
-
ઉદ્ધવગીત – વીરુ પુરોહિત
કદી કદી હું સ્વગત અચિંતા મને પૂછી બેસું છું; રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?! . ઘેલા કેવા હતા ? વિચારી, આજે આવે હસવું; ધૂન હતી, જ્યાં હાથ પહોંચે, શ્યામ નામ બસ લખવું ! મોરપિચ્છનાં વસન વીંટાળી, જઈ મધુવનમાં ઝૂમ્યાં; ચંદ્રપ્રકાશે ભાળી, કહાનાનાં પદચિહ્નો ચૂમ્યાં ! થતું હતું ત્યારે, ઉદ્ધવજી…
-
વરસે તો – ધ્રુવ ભટ્ટ
તું જ કહે કે તારા વિના બીજું અમને કોણ કહી સમજાવે કે આ વાદળ વાદળ વરસે તો વાટ વાતમાં ભીંજવતી આ ફરફર પાછી સાતે યુગમાં યાદ કરીને પાછળ પાછળ ફરશે તો . નાનકડી આ વાત અવરને માનો કે સૂઝી ગઈ તોયે અંદર પેસી સમજે એને કેમ કરીને સમજે તો પણ એ લોકો તો ભરી સભામાં…
-
મા એટલે…( સાતમી માસિક શ્રદ્ધાંજલિ)
. मां संवेदना है, भावना है, अह्सास है मां जीवन के फुलों में खुशबु का वास है। मां रोते हुए बच्चे का खुशनुमा पलना है मां मरुस्थल मे नदी या मीठा – सा झरना है। मां लोरी है, गीत है, प्यारी-सी थाप है मां पुजा की थाली है, मन्त्रो का जाप है। मां आंखो का सिसकता हुआ किनारा है, मां गालों पर पप्पी है, ममता की धारा है। मां झुलसते दिलो मे कोयल की बोली है, मां…
-
હજી – ચિનુ મોદી
હતી એ હામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું, રખડતા ગમનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું. . મને તું પ્હાડ ગણ તો ગણ, જરી વાંધો નથી વ્હાલા ! નદીના નામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું. . ગલીમાં પેસતાં પ્હેલું જ આવે ઘર પુરાણું, પણ વતનના ગામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું. .…
-
Home