દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે
મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયા છે.
આગ અને ભીનાશ છૂટા પાડી ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ છે.
સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય
હું મરજીવો નથી
હું કવિ છું
જે છે તે છે કેવળ મારી આંખોમાં.
( સિતાંશુ યશચંદ્ર )
સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય
હું મરજીવો નથી
હું કવિ છું
જે છે તે છે કેવળ મારી આંખોમાં.
Wow……….what a nice thought!!!!
સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય
હું મરજીવો નથી
હું કવિ છું
જે છે તે છે કેવળ મારી આંખોમાં.
Wow……….what a nice thought!!!!