સંતનો શબ્દ

સંતનો શબ્દ શું કર્ણ-પડદે પડ્યો,

ઊઘડ્યાં સામટાં બંધ બારાં.

ફોડીને પહાડ-શી છાતીમાંથી ફૂટ્યાં

નીર પાતાળનાં મિષ્ટ-ખારાં.

.

ઘમઘમે ઘૂઘરા ગુરુ તણા ભાંખરે,

આંખ સામે ઊભા દેવ દત્તાત્રય !

નાથ ત્રિલોકનો, ચૌદ બ્રહ્માંડનો

આંગણે આપણા ઝંખતો આશ્રય.

.

પ્રાણ તો બંસરી; ગાત્ર ગોકુળ બન્યાં,

મ્હોરી ઊઠ્યાં મને કૈંક વૃંદાવન.

હું રહ્યો નહીં; તું નહીં ‘તે’ રહ્યો-

આ ક્ષણે આપણે બેઉ શ્રાવણ !

.

કોણ જાણે કઈ ટૂંકથી નીસરી

ઊતરે ચિત્તમાં ફક્ત તારું સ્મરણ;

એક પળમાં બન્યું એવું તે શું ભલા ?

કૃષ્ણનું થૈ ગયું પૂર્ણ મીરાંકરણ !

.

( કેશુભાઈ દેસાઈ )

Share this

2 replies on “સંતનો શબ્દ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.