રાત વરસોથી સતત જો હોય કોઈ શું કરે?
પાંડુ-સમ શાપિત જગત જો હોય કોઈ શું કરે?
.
કોઈની કેવળ રમત જો હોય કોઈ શું કરે?
ને રમકડું આ જગત જો હોય કોઈ શું કરે?
.
આંખ કોરી રાખવાની સારવાના આંસુઓ,
કોઈની આવી શરત જો હોય કોઈ શું કરે?
.
જીવવું રોકાઈ જાતું, મોતથી છેટું પડે,
યાદ તાજી હર વખત જો હોય કોઈ શું કરે?
.
મન વગર તો એક પળ પણ જીવવું અઘરું સદા,
એ જ પાછું જડભરત જો હોય કોઈ શું કરે?
.
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )
સુંદર ગઝલ… માણવી ગમી!!!
સુંદર ગઝલ… માણવી ગમી!!!