યાદના અંજળ – મીરા આસીફ

તું મને કાગળ લખે તો, રોજ હું સજદા કરું !

યાદના  અંજળ લખે, તો રોજ હું સજદા કરું !

.

કોઈ મારા હાથમાં તડકો લખે વૈશાખનો,

તું કદી ઝાકળ લખે, તો રોજ હું સજદા કરું !

.

શું તરન્નુમ થઈ વહે છે શ્વાસની રફતારમાં ?

તું મને અટકળ લખે, તો રોજ હું સજદા કરું !

.

સાવ કોરા સ્પર્શનું આકાશ આપું છું તને,

મેઘલાં, વાદળ લખે, તો રોજ હું સજદા કરું !

.

શું થયું રણમાં રઝળતી એ અજાણી લાશનું ?

તું કથા આગળ લખે, તો રોજ હું સજદા કરું !

.

હું તને દરિયો લખીને રણ લખું આસીફને,

તું કદી મૃગજળ લખે, તો રોજ હું સજદા કરું !

.

( મીરા આસીફ )

Share this

6 replies on “યાદના અંજળ – મીરા આસીફ”

  1. કવિ મિત્ર શ્રી મીરા આસિફની આ સુંદર ગઝલમાં એક સંપૂર્ણ ગઝલમાં જોઇએ,એ બધું જ સામેલ છે અને એટલે નખશિખ નજાકતથી ભરી-ભરી છે

  2. કવિ મિત્ર શ્રી મીરા આસિફની આ સુંદર ગઝલમાં એક સંપૂર્ણ ગઝલમાં જોઇએ,એ બધું જ સામેલ છે અને એટલે નખશિખ નજાકતથી ભરી-ભરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.