મિતવા – સંદીપ ભાટિયા

મિતવા

લખવા તો ખત લખવા

હ્રદયથી મોટી બહી ન કોઈ

ઢાઈ અક્ષર પઢવા

.

બળવું તો બિરહામાં ભીંજાવું તો અખિંયન જળમાં

સમજાઈ જવું શિશુને તો મુંઝાવું પરમ અકળમાં

.

મિતવા

સ્વાદ પછી સૌ કડવા

થાળી થઈ પીરસાયા હો

ને ચાખે નહીં સજનવા

.

કહેવું તો મોઘમમાં ને ગાવું તો પાગલપણમાં

રહેવું તો મસ્તીમાં ને જાવું એના આંગણમાં

.

મિતવા

નામ પછી શું જપવાં

સાજન ઊભે ઈંટની ઉપર

ઘરમાં વસવા

.

( સંદીપ ભાટિયા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.