એકલવાયું લાગે છે – નીલકંઠ વેદ Oct11 અહીં બધું પરાયું લાગે છે મને એકલવાયું લાગે છે . આ આરસ જેવા રસ્તા તો યે નથી ચાલવું મારે તારા વિના જીવ આ મારો બળી રહ્યો અત્યારે . ઝૂરાપાનું ગીત ક્યાંકથી એવું ગવાયું લાગે છે મને એકલવાયું લાગે છે . સૂની નજરથી જોઉં મકાનો જોઉં ઈમારત જૂની દૂરથી મને વ્યાકુળ કરે કાયા કોઈ ખુશ્બુની . તમે મૂકી અહીં ફરવા આવ્યો : તારું દિલ ઘવાયું લાગે છે મને એકલવાયું લાગે છે . ( નીલકંઠ વેદ )
તારા વિના મને પણ એકલવાયું લાગે છે…!!!