ડો. વર્ગીસ કુરિયનની ઓફિસમાં પ્રદર્શિત ‘અમૂલ’ વિધાનો
છતાં પણ કરે જ જાઓ
.
તમને એક રચનાત્મક કામ સાકાર કરવામાં વર્ષો લાગે,
એનો નાશ એક જ રાતમાં થાય,
છતાં પણ તે કાર્ય કરે જ જાઓ.
.
લોકો ભલે તર્કહીન હોય, સ્વાર્થી હોય,
છતાં પણ તેમને પ્રેમ કરતા જ રહો.
.
આજે તમે જે સારું કામ કરશો, તે કદાચ કાલે ભુલાઈ જશે,
છતાં પણ સારાં કામ કરે જ જાઓ.
.
જો તમે કોઈ સારું કામ કરશો તો લોકો તમારે માથે કોઈ છૂપા અને
સ્વાર્થી હેતુનો આરોપ મૂકશે,
છતાં પણ તમે સારાં કામ કરતા જ રહો.
.
પ્રામાણિક અને સ્પષ્ટતા વક્તા બનવાથી તમને મુશ્કેલી પડી શકે !
છતાં પણ પ્રામાણિક અને સ્પષ્ટવક્તા જ બનો.
.
વિશ્વને તમારું શ્રેષ્ઠ અર્પણ કરો અને મોં પર લાત ખાવ,
છતાં પણ વિશ્વને તમારું શ્રેષ્ઠ જ અર્પણ કરતા રહો.
.
મહાન વિચારો ધરાવતા મહાન માણસોને પણ નાનામાં નાનું મગજ
ધરાવતા નાનામાં નાના માણસો નષ્ટ કરી શકે છે.
છતાં પણ તમે મહાન વિચારો કરતા જ રહો.
.
જે નવું છે તે નવું પણ હોય, નવા સ્વરૂપમાં જૂનું પણ હોય,
છતાં પણ નવા નવા પ્રયોગો ચાલુ જ રાખો.
.
લોકો કહે તો છે કે કચડાયેલાઓની તેમને ચિંતા છે, પણ હકીકતે તો
તેઓ પણ માત્ર પ્રભાવશાળીને જ પૂજે છે,
છતાં પણ કોઈ ને કોઈ કચડાયેલાઓની ચિંતા કરતા જ રહો.
.
મહાન વિચારો હંમેશા મહાન વાસ્તવિકતામાં ન પણ પલટાય,
છતાં પણ પ્રયત્ન કરતા જ રહો.
.
જો તમે સફળ બનશો, તો તમને મિત્રો બનાવટી મળશે અને શત્રુઓ સાચા,
છતાં પણ તમે સફળતા મેળવતા જ રહો.
.
( વર્ગીસ કુરિયનના ‘મારું સ્વપ્ન’ પુસ્તકમાંથી )