છતાં પણ કરે જ જાઓ

ડો. વર્ગીસ કુરિયનની ઓફિસમાં પ્રદર્શિત ‘અમૂલ’ વિધાનો

છતાં પણ કરે જ જાઓ

 .

તમને એક રચનાત્મક કામ સાકાર કરવામાં વર્ષો લાગે,

એનો નાશ એક જ રાતમાં થાય,

છતાં પણ તે કાર્ય કરે જ જાઓ.

 .

લોકો ભલે તર્કહીન હોય, સ્વાર્થી હોય,

છતાં પણ તેમને પ્રેમ કરતા જ રહો.

 .

આજે તમે જે સારું કામ કરશો, તે કદાચ કાલે ભુલાઈ જશે,

છતાં પણ સારાં કામ કરે જ જાઓ.

 .

જો તમે કોઈ સારું કામ કરશો તો લોકો તમારે માથે કોઈ છૂપા અને

સ્વાર્થી હેતુનો આરોપ મૂકશે,

છતાં પણ તમે સારાં કામ કરતા જ રહો.

 .

પ્રામાણિક અને સ્પષ્ટતા વક્તા બનવાથી તમને મુશ્કેલી પડી શકે !

છતાં પણ પ્રામાણિક અને સ્પષ્ટવક્તા જ બનો.

 .

વિશ્વને તમારું શ્રેષ્ઠ અર્પણ કરો અને મોં પર લાત ખાવ,

છતાં પણ વિશ્વને તમારું શ્રેષ્ઠ જ અર્પણ કરતા રહો.

 .

મહાન વિચારો ધરાવતા મહાન માણસોને પણ નાનામાં નાનું મગજ

ધરાવતા નાનામાં નાના માણસો નષ્ટ કરી શકે છે.

છતાં પણ તમે મહાન વિચારો કરતા જ રહો.

 .

જે નવું છે તે નવું પણ હોય, નવા સ્વરૂપમાં જૂનું પણ હોય,

છતાં પણ નવા નવા પ્રયોગો ચાલુ જ રાખો.

 .

લોકો કહે તો છે કે કચડાયેલાઓની તેમને ચિંતા છે, પણ હકીકતે તો

તેઓ પણ માત્ર પ્રભાવશાળીને જ પૂજે છે,

છતાં પણ કોઈ ને કોઈ કચડાયેલાઓની ચિંતા કરતા જ રહો.

 .

મહાન વિચારો હંમેશા મહાન વાસ્તવિકતામાં ન પણ પલટાય,

છતાં પણ પ્રયત્ન કરતા જ રહો.

 .

જો તમે સફળ બનશો, તો તમને મિત્રો બનાવટી મળશે અને શત્રુઓ સાચા,

છતાં પણ તમે સફળતા મેળવતા જ રહો.

 .

( વર્ગીસ કુરિયનના ‘મારું સ્વપ્ન’ પુસ્તકમાંથી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.