અધૂરો ઘડો – ભગવતીકુમાર શર્મા
અધૂરો ઘડો છું, હું છલકાઉં પણ
ને ખાલી થયા બાદ ઊભરાઉં પણ !
.
હું પસ્તિત્વને આજ પામ્યો ભલે;
ભવિષ્યે ફરીથી હું વંચાઉં પણ.
.
કરું છું હું પસ્તાવો નિજ પાપનો;
આ અશ્રુથી ભીતરમાં ધોવાઉં પણ.
.
છું ઈશ્વરના સાંનિધ્યમાં હું છતાં
હરણ જોઈ સોનેરી લલચાઉં પણ.
.
રઝળપાટ લમણે લખ્યો છે ભલે;
હું મારા અસલ ઘર ભણી જાઉં પણ.
.
ગડી વાળીને તેં જ મૂક્યો હતો;
હું હૈયાધબકમાં જ દેખાઉં પણ.
.
દીવાલોથી અળગો થયો છું છતાં
હું પડધો બનીનેય ટકરાઉં પણ.
.
( ભગવતીકુમાર શર્મા )
અધુરો ઘડો છું, હું છલકાંઉ પણ
અને ખાલી થયા બાદ ઉભરાઉં પણ
ખુબ સુંદર. પોતાની જાતને પંડિત માનવાવાળા માટે યથા યોગ્ય છે.
p;ease visit
http://www.pravinash.wordpress.com
અધુરો ઘડો છું, હું છલકાંઉ પણ
અને ખાલી થયા બાદ ઉભરાઉં પણ
ખુબ સુંદર. પોતાની જાતને પંડિત માનવાવાળા માટે યથા યોગ્ય છે.
p;ease visit
http://www.pravinash.wordpress.com
અધુરો ઘડો છું, હું છલકાંઉ પણ
અને ખાલી થયા બાદ ઉભરાઉં પણ
ખુબ સુંદર. પોતાની જાતને પંડિત માનવાવાળા માટે યથા યોગ્ય છે.
p;ease visit
http://www.pravinash.wordpress.com