ગૃહદીપ પેટાવ – રવીન્દ્રનાથ ટાગોર
.
મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.
.
તારો પ્રકાશ પામીને મારાં બધાં દુ:ખ અને શોક સાર્થક થાઓ.
.
ખૂણે ખૂણામાં જે અંધકાર છુપાયેલો છે, તે ધન્ય થઈને મરો, તારા પુણ્યપ્રકાશમાં બેસીને હું પ્રિયજનને પ્રેમ કરું.
.
મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.
.
તારો પ્રદીપ સ્પર્શમણિનો છે, એની જ્યોત અચપલ છે, મારાં બધાં કાળાં કલંકને એ પલકમાં સોનું બનાવી લો.
.
મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.
.
હું જેટલાં દીપ સળગાવું છું તેમાં કેવળ જ્વાળા અને કેવળ કાજળ હોય છે. મારા ઘરના બારણા ઉપર તારાં કિરણો વર્ષાવ.
.
મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.
.
* * * * * * * * * *
.
હે પ્રભુ, જો મારું આ હૃદયદ્વાર કોઈ વાર બંધ રહે તો તું દ્વાર ભાંગીને મારા પ્રાણમાં આવજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.
.
જો કોઈ દિવસ આ વીણાના તાર તારું પ્રિય નામ ન ઝંકારે તો તું દયા કરીને ક્ષણેક ઊભો રહેજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.
.
જો કોઈ વાર તારા આહવાનથી મારી ઊંઘનું ઘેન ન ઊડી જાય, તો તું મને વજ્ર-વેદનાથી જગાડજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.
.
જો કોઈ વાર હું તારા આસન ઉપર બીજા કોઈને પણ જતનપૂર્વક બેસાડું, તો હે મારા ચિર કાળના રાજા, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.
.
( રવીન્દ્રનાથ ટાગોર )
Nice one.
Nice one.
ઈશ્વરને ખૂબજ સુંદર ભાવે યાચના કરેલ છે ! ખૂબજ સુંદર !
ઈશ્વરને ખૂબજ સુંદર ભાવે યાચના કરેલ છે ! ખૂબજ સુંદર !