અલખ તણે અણસારે – સંદિપ ભાટિયા

.

અલખ તણે અણસારે

મેં નાવ મૂકી મઝધારે

 .

હવે પવનનો સાથ મેં છોડ્યો સઢને સલામ કીધા

સૌના પાલનહારાને મેં હાથ હલેસાં દીધાં

 .

સૂર મળ્યો સૂનકારે

અલખ તણે અણસારે

 .

કોણ ખોબલે રેત ભરે જો હીરામોતી મળતાં

હાથ જોડતાં મળે મંજિલો પ્હાડ બધા ઓગળતા

 .

જ્યોત જલી અંધારે

અલખ તણે અણસારે

 .

( સંદિપ ભાટિયા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.