.
પ્રેમથી વધારે સરળ અને સ્વાભાવિક
બીજો કોઈ અનુભવ નથી.
અહંકાર તમે છોડ્યો,
તો પ્રેમ જ સંભવ નથી થતો
પ્રેમની સાથે-સાથે બીજી પણ
અસંભવ વાતો સંભવ થઈ જાય છે.
ધ્યાન સંભવ થઈ જાય છે.
સ્વતંત્રતા સંભવ થઈ જાય છે.
શાશ્વતતા સંભવ થઈ જાય છે.
અમૃત સંભવ થઈ જાય છે.
પ્રેમનું દ્વાર શું ખૂલે છે…
મંદિર ખૂલી જાય છે.
મંદિર, જેના અનંત આયામ છે.
જે મંદિરમાં પ્રવિષ્ટ થયો,
તેણે જ જીવનના અર્થ જાણ્યા,
જીવનની ગરિમાને ઓળખી.
.
.
પ્રેમ મળી જાય,
તો પરમાત્મા મળી જાય છે.
પ્રેમ વગર પરમાત્મા નથી મળતો.
પ્રેમ સર્વાધિક મૂલ્યવાન છે,
પ્રાર્થના પણ એટલી મૂલ્યવાન નથી.
જેણે પ્રેમ નથી જાણ્યો,
તે પ્રાર્થનાથી પરિચિત જ નહીં થઈ શકે.
પ્રેમ જ શુદ્ધ થઈને પ્રાર્થના બને છે.
પ્રેમ જ નિખરીને પ્રાર્થના બને છે.
પ્રેમ સમજો કે કાચી પ્રાર્થના છે,
પ્રાર્થના પાક્કો પ્રેમ.
.
( ઓશો )