જોગણ બની બની જાવું રે… – પંખીબાઈ
.
ગુરુ ગોવિંદ ગુણ ગાવું રે,
મારે જોગણ બની બની જાવું રે
મારે સામે કિનારે જાવું, મારે જોગણ બની બની જાવું રે.
…મારે
.
નાભિ-કમળથી ચક્કર જાવું બ્રહ્મમેં ધૂન મચાવું;
બંકનાળ ત્રવેણી તરી જાવું, સુક્ષમણામાં સેજ બિછાવું
…મારે
.
સૂન શિખરમેં સુરતા સાધુ, અલખ પુરુષ જગાવું;
ઓહંગ સોહંમ શ્વાસા ત્યાગી શૂન્યમાં તે સમાવું.
…મારે
.
અલોપ રૂપથી રૂપ ન્યારું, રૂપમેં જ્યોત જગાવું;
જ્યોતિ પ્રકાશે હીરા વીણી, જુગ જુગ અમર થાવું.
…મારે
.
આકાર નિરાકારી વાસા ત્યાગી, અનામી બની જાવું;
ભાવદાસ દાસી સતી પંખી ગાવે, અલોપ પુરુષમાં જાવું
…મારે
.
( પંખીબાઈ )
Good.
Good.
મીરાંના ખૂબજ સુંદર મનોભાવ વ્યક્ત કરતી રચના !
મીરાંના ખૂબજ સુંદર મનોભાવ વ્યક્ત કરતી રચના !