.

ભમરાઓએ ફૂલો પાસે જવાનું

માંડી વાળ્યું છે.

રેશમી ડંખ એમના ગુંજારવને

ઘેરી વળે છે.

રૂંધાઈ જાય છે એમનો કંઠ

ફૂલોની પાંખડીઓ એમની એમ રહે છે

અને ભમરાઓ પળવારમાં ખરી પડે છે.

પ્રેમનો જો આવો જ નતીજો હોય

તો ફૂલને બદલે

કાંટાથી વીંધાઈ મરવું વધારે સારું.

ફૂલો પાસે જતી વખતે અપેક્ષા હોય છે,

કાંટાઓ કોઈ અપેક્ષા

ઊભી કરતા નથી.

કાંટાઓ વધારે ખાનદાન છે.

ફૂલો તો એમની

બેવફાઈ માટે જાણીતાં.

 .

( સુરેશ દલાલ )

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *