એ કોણ છે ? – દિનેશ ડોંગરે ‘નાદાન’

.

સૂર્ય જેવું ઝળહળે એ કોણ છે ?

મીણ માફક ઓગળે એ કોણ છે ?

 .

આંગણે જેના પડે પગલાં પછી,

ઘરની ભીંતો સળવળે એ કોણ છે ?

 ,

સ્હેજ અમથોયે મને જોઈ ઉદાસ,

રાત આખી ટળવળે એ કોણ છે ?

 ,

આંખ-મન-નાભી લગોલગ ઊતરી

રક્તની ભીતર ભળે એ કોણ છે ?

 .

સાંજ શણગારો સજી બેસે અને,

જઈ ક્ષિતિજોમાં ઢળે એ કોણ છે ?

 .

( દિનેશ ડોંગરે ‘નાદાન’)

Leave a comment