
.
કહેવાય છે
કે
દરેક પ્રદક્ષિણાનું
મળતું હોય છે
કશુંક પુણ્ય…
હુંય ફરતી (સાવિત્રી ?)
ચક્કર ચક્કર
શબ્દને કાચે તાંતણે
વેદનાના વડલાની આસપાસ
મારી
આ પ્રદક્ષિણાનું
કહોને
કયું પુણ્ય…. ?
કયું વૈકુંઠ…. ?
.
( પન્ના નાયક )

.
કહેવાય છે
કે
દરેક પ્રદક્ષિણાનું
મળતું હોય છે
કશુંક પુણ્ય…
હુંય ફરતી (સાવિત્રી ?)
ચક્કર ચક્કર
શબ્દને કાચે તાંતણે
વેદનાના વડલાની આસપાસ
મારી
આ પ્રદક્ષિણાનું
કહોને
કયું પુણ્ય…. ?
કયું વૈકુંઠ…. ?
.
( પન્ના નાયક )