પ્રેમનું અસ્તિત્વ – માર્જોરી પાઈઝર

મને લાગતું હતું કે તમારું મૃત્યુ હતું

દુર્વ્યય અને વિનાશ,

સહન ન થઈ શકે એવી શોકની વ્યથા.

મેં હજી સમજવાની શરૂઆત કરી છે

કે તમારું જીવન એક ભેટ હતું અને વિકસતું

અને ચાહતું મારી સાથે બચ્યું છે.

મૃત્યુની હતાશા પ્રેમના અસ્તિત્વનો વિનાશ કરે છે,

પણ મૃત્યુની હકીકત

જે અપાયું છે એનો વિનાશ કરી શકતી નથી.

તમારા મૃત્યુ અને તમારી જુદાઈને બદલે

તમારા જીવનને ફરીથી જોવાનું હું શીખી રહી છું.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

2 thoughts on “પ્રેમનું અસ્તિત્વ – માર્જોરી પાઈઝર

Leave a reply to અશોકકુમાર દેશાઈ (દાસ) -'દાદીમા ની પોટલી' Cancel reply