વિનાશ વેરતા કડાકાભડાકામાંથી

વાવાઝોડાના વિનાશ વેરતા, કડાકાભડાકામાંથી,

કેન્દ્રમાં રહેલા ઝંઝાવાત મારા આત્મા પર આઘાત કરે છે,

પછડાટની ભેખડ અને હું પડી ગઈ છું, ભયત્રસ્ત, પૂરેપૂરી,

આશ્વાસન આપનાર, ક્યાં છે તારું આશ્વાસન ?

ઓ, હું કોણ છું, આગ ને આંસુઓમાંથી,

ભયાનક આકાશ અને મોતમાંથી

મારા પ્રેમના ઝંઝાવતમાંથી માર્ગ કાઢતી ?

હું કોણ છું, કે મને અત્યંત દુ:ખ અને મૃત્યુ-ખોટથી

નરમ પાડવામાં આવે છે

અને મારા ગરીબડા હૃદયને દિલાસો આપવા

હું કવિતા લખું છું ?

.

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

Leave a comment