જવું છે – ભગવતીકુમાર શર્મા

આ પાર જવું છે કે હજી પાર જવું છે,

નક્કી જ કરી લઈએ કે મઝધાર જવું છે.

 .

છે વીજકડાકા અને ઘનઘોર ઘટાઓ,

કિન્તુ જો જવું છે તો ધૂંવાધાર જવું છે.

 .

કુર્નિશ ન બજાવી કદી સજદોય ન કીધો,

ચાદરને લઈ સાથ કો દરબાર જવું છે.

 .

આકાશના સૂરજ તને નવ ગજના નમસ્કાર,

અંધારથી આવ્યો છું ને અંધાર જવું છે.

 .

રૂંધાય છે શ્વાસો અને ભીંસાય છે છાતી,

દરવાજો ઉઘાડો ને જરા બહાર જવું છે.

 .

બીજું તો કશું મારી ન મુઠ્ઠીમાં સમાશે,

સ્વપ્નાંઓના ટુકડા લઈ બે ચાર જવું છે.

 .

વહાલાને જો મળવું છે તો લઘરા નથી રહેવું,

નખશિખ લઈ ઝળહળ થતાં શણગાર જવું છે.

 .

( ભગવતીકુમાર શર્મા )

Share this

2 replies on “જવું છે – ભગવતીકુમાર શર્મા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.