જિંદગી ક્યાં જિવાય – સિકંદર મુલતાની

જિંદગી ક્યાં જિવાય ચાહ મુજબ ?

કે જવાનું વહ્યે…પ્રવાહ મુજબ !

 .

પુણ્ય મુજબ ન હો જીવન, કિન્તુ-

મોત તો હોય છે ગુનાહ મુજબ !

 .

સ્વપ્ન મારું પડે ન કાં સાચું ?

જોઉં છું ખ્વાબ હું નિગાહ મુજબ !

 .

તો અનોખું જ કંઈ મળે, મિત્રો !

કાશ… રખડાય ગુમરાહ મુજબ !

 .

હર દિશામાં ઊભી હશે મંઝિલ,

ચાલ… ચાલી બતાવ રાહ મુજબ !

 .

સૌ ‘સિકંદર’ મને કહે, તેથી-

હું ય વર્તું છું બાદશાહ મુજબ !

 .

( સિકંદર મુલતાની )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.