બે કાવ્યો – સુરેશ દલાલ

(૧)

પંખીના ટહુકાથી ઊઘડે એવું

વહેલી સવારનું મૌન મને આપો.

 .

દિવસની ડાળ પર ઝૂલ્યા કરું

શબ્દોને અર્થોને ભૂલ્યા કરું

ભીતર ને ભીતર હું ખૂલ્યા કરું

ફૂલની સુવાસથી છલકે એવું

ઊજળી સવારનું મૌન મને આપો.

 .

મનની મિરાતનો હોય એક પ્રાંત

સરોવર જેવો હોય રસ્તો પણ શાંત

ચાલું પણ પગલાંમાં નીરવ એકાન્ત

પોતાના આભથી પ્રકટે એવું

ખુલ્લી સવારનું મૌન મને આપો.

.

(૨)

કવિતા અને જીવનના રાજમાર્ગે ઊભેલો હું

શબ્દનો મિત્ર છું

અને અનુભવનો પરમ મિત્ર.

 .

જ્ન્મ પહેલાંની

અને મૃત્યુ પછીની ક્ષણ સાથે

મારો નાતો બાંધું છું

નિરાકાર મૌન સાથે.

.

( સુરેશ દલાલ )

Share this

3 replies on “બે કાવ્યો – સુરેશ દલાલ”

  1. શબ્દના મિત્રને એકાન્ત,શાન્તિ અને મૌન હાથવગા સાધનો સહજ ઉપલબ્ધ !એવુ બધુ માણી ભીતર ઉઘડવુ અને મનની
    સીમાઓ – ક્શિતિજો વિસ્તારવી …. પરમને પન્થે આગલ વધવુ એજ ધ્યેય સિધ્ધ કરતા રહેવુ…એનિ નિયતિ હશે!
    સરસ…
    -લા’કાન્ત / ૨૨-૪-૧૩

  2. શબ્દના મિત્રને એકાન્ત,શાન્તિ અને મૌન હાથવગા સાધનો સહજ ઉપલબ્ધ !એવુ બધુ માણી ભીતર ઉઘડવુ અને મનની
    સીમાઓ – ક્શિતિજો વિસ્તારવી …. પરમને પન્થે આગલ વધવુ એજ ધ્યેય સિધ્ધ કરતા રહેવુ…એનિ નિયતિ હશે!
    સરસ…
    -લા’કાન્ત / ૨૨-૪-૧૩

  3. શબ્દના મિત્રને એકાન્ત,શાન્તિ અને મૌન હાથવગા સાધનો સહજ ઉપલબ્ધ !એવુ બધુ માણી ભીતર ઉઘડવુ અને મનની
    સીમાઓ – ક્શિતિજો વિસ્તારવી …. પરમને પન્થે આગલ વધવુ એજ ધ્યેય સિધ્ધ કરતા રહેવુ…એનિ નિયતિ હશે!
    સરસ…
    -લા’કાન્ત / ૨૨-૪-૧૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.